ડીસામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે અને નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને ઝડપવા નિષ્ફળ નીવડી છે. જ્યારે રખડતા ઢોરોના ત્રાસના કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જ્યારે બીજી તરફ ડીસાના હવાઇ પિલ્લરમાં જાહેરમાં બે ગાયોના મોત નિપજ્યા હતા અને મૃત ગાયોને શ્વાનોએ હરણ કરતાં લોકોની લાગણી દુભાઇ હતી.
જેથી સ્થાનિક લોકોએ નગરપાલિકાને આ ગાયોને દૂર કરવા માટે જાણ કરી હતી પરંતુ નગરપાલિકા દ્વારા કોઇ જ કાર્યવાહી ન કરતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.
From-Banaskantha update