સરહદી વાવ પંથકમાં કેનાલો આવતા મોટાભાગના ખેડૂતો શિયાળુ સીઝનમાં મોંઘાદાટ બિયારણ, રાસાયણિક ખાતર, દવાઓ લાવી મોટા ખર્ચા કરી જીરાનું વાવેતર કરે છે. માવઠાને લઇ જીરાના પાકમાં ચરમી આવતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
શિયાળુ સીઝનમાં વારંવાર વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેમાં બે-ત્રણ વખત માવઠું થતા ભેજવાળું વાતાવરણ રહેતા વધુ ઝાકળ (ઠાર) પડતાં જીરાના પાકમાં ચરમી આવતા જીરાનો પાક નષ્ટ થઇ રહ્યો છે. જેને લઈ ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
જેને લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે ‘વારંવાર વાતાવરણમાં પલ્ટો આવતા અને કમોસમી વરસાદ થતાં વધુ ઠાર પડવાથી જીરાના પાકમાં ચરમી આવી ગઇ છે. જેને લઈ પાક નષ્ટ થઈ રહ્યો છે.’
From – Banaskantha Update