બનાસકાંઠા જીલ્લાના સૂઇગામની કાણોઠી કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે. છાસવારે કેનાલો તૂટતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ફળી વળતાં પાકોને નુકશાન થઇ રહ્યું છે.
બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાને લઇને સરકાર દ્વારા કેનાલો મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે. પરંતુ કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે કેનાલો હલકી ગુણવત્તાની બનાવી હોવાથી જ્યારે પણ કેનાલ મારફતે વધુ પાણી છોડવામાં આવે છે.
ત્યારે વારંવાર કેનાલમાં ગાબડું પડવાના બનાવો સામે આવે છે. ત્યારે શનિવારે ફરી નર્મદાની કેનાલમાં ગાબડું પડયું છે. સૂઇગામની કાણોઠી નજીકથી પસાર થતી માઇનોર કેનાલમાં સિંચાઇ માટે વધુ પાણી છોડવાથી કેનાલમાં ગાબડું પડવાથી કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોના ઉભા પાકને નુકશાન થવા પામ્યું છે.
ખેતરો બેટમાં ફેરવાયા છે. રવિ સિઝનમાં અત્યાર સુધી કાણોઠી માઇનોર કેનાલમાં પાંચ ગાબડા પડવાથી ખેડૂતો પરેશાન થઇ ઉઠયા છે.
From-Banaskantha update