ડીસામાં વસતા કંસારા સમાજ દ્વારા પોતાનું સ્થાન ઓ.બી.સી. જ્ઞાતિમાં સરકાર દ્વારા આપવામાં આવે તે માટે શુક્રવારે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
છેલ્લા 25 વર્ષથી ગુજરાતી કંસારા જ્ઞાતિની શાંતિપૂર્વક ઓ.બી.સી.માં સમાવવા માટે રજૂઆત કરાઇ છે અને વખતો વખત સરકારના નિયમો અનુસાર કંસારા જ્ઞાતિનું સર્વેનું કામ પણ ઓ.બી.સી. પંચ દ્વારા કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી પંચ દ્વારા ભલામણ રીપોર્ટ સરકારને સુપ્રત કરવામાં આવેલ નથી.
ગુજરાતમાં વસતા કંસારા, કહેશ અને તાંબકાર જ્ઞાતિ તરીકે કેન્દ્ર સરકારની સેન્ટ્રલ યાદીમાં વર્ષોથી સમાવેશ છે અને ગુજરાતમાં ઓ.બી.સી.માં સમાવેશ કરવા છેલ્લા 20 વર્ષથી ઓ.બી.સી. પંચ સર્વેની કામગીરી કરી રહી છે પરંતુ હજુ સુધી ગુજરાતમાં કંસારા જ્ઞાતિ વાસ્તવિક રીતે પછાત વાંચતા છેલ્લા 20 વર્ષથી ઓ.બી.સી. પંચ દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી.
વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો અનેક વિદ્યાર્થીઓને અનામતનો લાભ ન મળતાં નાણાંકીય સવલતોના અભાવે અભ્યાસ અધૂરો મૂકવાની ફરજ પડે છે. કંસારા જ્ઞાતિ તેનો પારંપારિક વાસણો બનાવવાનો વ્યવસાય ગુમાવી ચૂકી છે.
અને છેલ્લા બે દાયકાથી સ્ટીલના વાસણોનો ચલણ વધતા વ્યવસાય ખોરવાઇ ગયો છે. જેથી કંસારા જ્ઞાતિના લોકોને ન છૂટકે ખાનગી નોકરી કરી અને છૂટક મજૂરીઓ પર પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મજબૂર બન્યા છે.
ત્યારે આ અંગે સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે કંસારા સમાજના લોકોને ઓ.બી.સી. જ્ઞાતિમાં સ્થાન આપવામાં આવે તે માટે શુક્રવારે ડીસાના કંસારા સમાજના આગેવાનો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ છે.
From-Banaskantha update