આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એન.એસ.યુ.આઇ. દ્વારા રાષ્ટ્રીય મુહિમ શિક્ષા બચાઓ-દેશ બચાઓના અંતર્ગત ડીસા કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ટેબ્લેટના નામે યુનિવર્સિટી દ્વારા જે પૈસા ઉગરાવામાં આવ્યા છે તેને ત્રીજું વર્ષ થયું છે છતાં પણ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવવા આવ્યા નથી.
તેના માટે સહી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ સહી કરી આ કાર્યક્રમમાં ઉત્સાહ ભેર ભાગ લીધો તેમજ ડીસા એન.એસ.યુ.આઇ.ના પ્રમુખ હાર્દિકભાઈ પઢીયારએ પત્રકારોને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ટેબ્લેટની ફી ભર્યાને ત્રીજું વર્ષ ચાલે છે છતાં પણ ટેબ્લેટ મળ્યા નથી જેનાથી વિદ્યાર્થીઓની શિક્ષાને નુકશાન થઈ રહ્યું છે માટે વિદ્યાર્થીઓને તાત્કાલિક ટેબ્લેટ આપવામાં ન આવ્યા તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.
તેમજ ડીસા એન.એસ.યુ.આઇ.ના ઉપપ્રમુખ અંકુરભાઈ ઠક્કરએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે વિદ્યાર્થીઓને જેટલા જલ્દી ટેબ્લેટ આપવામાં આવે એટલું વિધાર્થીઓના હિતમાં છે તેમજ વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસમાં પણ ફાયદો થશે.
From – Banaskantha Update