ઉત્તરાયણ પર્વ પર પક્ષીઓને બચાવવાના અભિયાનને લઈ કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક : હેલ્પલાઇન જાહેર કરાઈ

Share

ઉત્તરાયણ પર્વ પર ઘાયલ પક્ષીઓને બચાવવા વન વિભાગ દ્વારા યોજાનાર કરૂણા અભિયાન-2022ની પાલનપુર ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. ઘાયલ પક્ષીઓની સારવાર માટે વન વિભાગ દ્વારા વોટસઅપ હેલ્પલાઇન નં.8320002000 શરૂ કરવામાં આવ્યો છે. જેના પરથી સારવાર કેન્દ્રોનો સંપર્ક કરી ઘાયલ પક્ષીઓને સારવાર અપાવી શકાશે. વન વિભાગ દ્વારા જિલ્લા કંટ્રોલ રૂમ સહિત તમામ તાલુકાઓ અને પોલીસ તથા યુ.જી.વી.સી.એલ. દ્વારા પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.

બેઠકમાં કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણનો તહેવાર પશુ-પક્ષી અને પર્યાવરણને નુકશાન ન થાય તેવી રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવીએ પરંતું આપણે સૌ સાથે મળીને કેટલીક નાની બાબતો ઉપર ધ્યાન આપીએ તો ઘણા પક્ષીઓના જીવ બચાવી શકાય તેમ છે.

તેમણે લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે, પક્ષીઓના જીવ બચાવવા ચાઇનીઝ દોરીઓ અને તુક્કલનો ઉપયોગ ન કરવામાં આવે તેની તેકદારી રાખીએ. તેમણે કહ્યું કે, સવારે પક્ષીઓ માળામાંથી બહાર ચણવા નીકળે ત્યારે અને સાંજે પોતાના માળામાં પરત ફરે તેવા સમયે પતંગ નહીં ઉડાવવા લોકોમાં અવેરનેસ લાવવામાં આવે. આ ઉપરાંત ઉત્તરાયણની સાંજે તુક્કલ ન ઉડાવવા અને ફટાકડા ન ફોડવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ઉતરાયણના તહેવાર દરમ્યાન ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટીક દોરી અને તુક્કલનાં વેચાણ તેમજ તેના ઉપયોગ પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે તેનો કડક અમલ કરવા પોલીસ વિભાગના અધિકારીઓને તેમણે સુચના આપી હતી.

 

ઘાયલ પક્ષીઓની સારવાર માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ નં.02742-257084 છે.
અમીરગઢ તાલુકામાં કંટ્રોલ રૂમ નં. 02742-232348/9664876153,
દાંતીવાડા તાલુકા કંટ્રોલ રૂમ નં.02748-287635/9726492967,
દાંતા તાલુકા કંટ્રોલ રૂમ નં.02749-278331/9424284838,
વડગામ તાલુકા કંટ્રોલ રૂમ નં.02739-262694/8128104250,
ધાનેરા તાલુકા કંટ્રોલ રૂમ નં.02748-221816/942759816,
થરાદ તાલુકા કંટ્રોલ રૂમ નં. 02737-222655/ 6351416085,
વાવ અને સૂઈગામ તાલુકા કંટ્રોલ રૂમ નં. 02737-222178/9574747999,
દિયોદર તાલુકા કંટ્રોલ રૂમ નં. 02735-244780,7990081601,
કાંકરેજ તાલુકા કંટ્રોલ રૂમ નં.02747- 233370, 7801818713
ડીસા અને લાખણી તાલુકા કંટ્રોલ રૂમ નં. 02744-230629/ 9924039776 છે.

 

ચાઇનીઝ માંઝાનું વેચાણ થતું ધ્યાન પર આવે તો પોલીસ કંટ્રોલ રૂમ નં.02742-252600 પર જાણ કરી શકો છો. તેવી જ રીતે બચાવ કામગીરી હાથ ધરતા પહેલાં વીજ પુરવઠો બંધ કરવા માટે યુ.જી.વી.સી.એલ., પાલનપુરનો કંટ્રોલ રૂમ નં.02742-251246 છે.

 

From – Banaskantha Update


Share