ભાભરના રૂણીથી ચેમ્બુવા નર્મદાની માઇનોર કેનાલમાં પડ્યું ગાબડું : આજુબાજુના ખેતરમાં પાણી ફરી વળ્યુ

- Advertisement -
Share

ભાભરના રૂણીથી ચેમ્બુવા જતી નર્મદાની માઇનોર કેનાલમાં આજે ગાબડું પડ્યું હતું આ ગાબડાથી લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો તેમજ કેનાલમાં ગાબડું પડવાથી આજુબાજુના ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું અને ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું.

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે હલકી ગુણવત્તાના મટીરીયલથી કેનાલો બનાવવામાં આવી છે અને જેના કારણે જ વારે ઘડીએ કેનાલમાં ગાબડું પડી જાય છે.

તેમજ વારે ઘડીએ ગાબડું પડવાથી ખેતરોમાં પાણી ફરી વળે છે જેના કારણે ખેડૂતોને નુકસાન થાય છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, આજે વહેલી સવારે ભાભર ખાતે આવેલ રૂણી ગામથી ચેમ્બુવા જતી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું ગામડું પડવાથી લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો તેમજ આજુબાજુના ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!