પાલનપુરમાં રવિવારે એક બાળકને કૂતરાએ બચકું ભર્યું હતું. બે મહિનામાં પાંચ સોસાયટીના 12 બાળકોને કૂતરા કરડ્યા છે. હડકાયા કૂતરાઓના આતંકથી શહેરીજનો ભયભીત બની રહ્યા છે.
પાલનપુરમાં રખડતાં પશુઓની સાથે સાથે હડકાયા કૂતરાઓનો ઉપદ્રવ પણ વધતાં લોકોમાં ભય પ્રસર્યો છે. જ્યાં રવિવારે એક બાળકને કૂતરાએ બચકું ભર્યું હતું.
આ અંગે જનસેવા એજ પ્રભુ સેવા સંસ્થાના જયેશભાઇ સોનીએ જણાવ્યુ કે, પાલનપુરની ગીતા સોસાયટી, કલ્પના સોસાયટી, કલ્યાણ સોસાયટી, બેંક સોસાયટી અને કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં હડકાયા કૂતરાનો ભયંકર આતંક છે. આ વિસ્તારમાં છેલ્લા 2 મહિના દરમિયાન અલગ-અલગ 12 નાના બાળકો, મહિલાઓ અને વડીલોને હડકાયા કુતરા કરડયા છે.
આ અંગે નગરપાલિકામાં જાણ કરી તો નગરપાલિકામાં કુતરા પકડવાની કોઈ ટીમ છે જ નહી હજુ કૂતરા પકડવા માટે ટેન્ડર આપવાનું પણ બાકી છે તેમ જણાવવામાં આવે છે.
From – Banaskantha Update