દાંતીવાડા યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં ખોરાક આરોગ્યા બાદ 20 છાત્રોની તબિયત લથડતાં દોડધામ

Share

 

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં હોસ્ટેલ રહી અભ્યાસ કરતાં 20 જેટલાં વિદ્યાર્થીઓને બુધવારે ખોરાકી ઝેરની અસર થતાં તેમને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા. જે વિદ્યાર્થીઓ બીજા દિવસે ગુરૂવારે બપોરે ત્રણ વાગ્યા સુધી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. દાંતીવાડા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરને લઇ જીલ્લા ફૂડ વિભાગે તેલ, ચણા અને લોટના સેમ્પલ લઇ કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, કૃષિ યુનિવર્સિટીમાં આવેલી રૂપેણ હોસ્ટેલની મેસમાં કુલ 70 જેટલાં વિદ્યાર્થીઓને બુધવારે સાંજે જમ્યા બાદ અચાનક 20 જેટલાં વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર થઇ હતી. જેથી તમામ વિદ્યાર્થીઓને સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓ પોલીટેકનિક ઇન એનિમલ હસબન્ડરીમાં અભ્યાસ કરી રહ્યા છે. અચાનક બનેલા બનાવથી યુનિવર્સિટીમાં દોડધામ મચી ગઇ હતી.

[google_ad]

 

 

 

 

 

 

ફૂડ વિભાગ દ્વારા ચણા, તેલ અને લોટનું સેમ્પલ લઇ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યું છે. જો કે, હોસ્ટેલના રસોડામાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હોવાથી સ્થળ પર આવેલા ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા કડક સુચના અપાઇ છે.

[google_ad]

 

 

 

 

 

 

વિદ્યાર્થીઓ આહારમાં ચણાના શાક સાથે પુરી જમ્યા હતા. તે બાદ કેટલાંક વિદ્યાર્થીઓને તબિયત લથડવાનો બનાવ બન્યો હતો. હોસ્ટેલમાંથી હાલમાં ચણા, તેલ અને લોટનું સેમ્પલ લેવામાં આવ્યા છે. જે સેમ્પલનો રીપોર્ટ આવ્યા બાદ જો ક્ષતિ જણાશે તો સામાન ખરીદેલા કરીયાણા દુકાન માલિક સહીત કાયદેસર પગલાં લેવામાં આવશે.

[google_ad]

 

 

 

 

 

 

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના આહાર બાબતે યુનિવર્સિટીના જવાબદારો જાણે બેફીકર હોય તેમ હોસ્ટેલમાં કરીયાણા સહીતની જવાબદારી એક સામાન્ય રસોઇયાને આપી દેવામાં આવે છે. જેના કારણે આ ગુણવત્તા વિહીન કરીયાણા સહીતની સામાનની ખરીદી કરાતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

[google_ad]

 

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share