વાછડાલમાં કૌટુંબિક કાકીને ધૂપલિયું મારવા જતાં પિતરાઇ ભાઇને વાગતાં સારવાર દરમિયાન મોત

Share

ધાનેરા તાલુકાના વાછડાલ ગામમાં રમીલાબેન વાઘાભાઇ ઉમટ મંગળવારે રાત્રે 8:00 વાગ્યે પુત્ર કાર્તિક (ઉં.વ.આ. 4) ને લઇ ઘરની બાજુમાં આવેલા ભૈરવ બાપજીના મંદિર નજીક લધુશંકા કરાવવા માટે લઇ ગયા હતા. તે સમયે કૌટુંબિક ભત્રીજી નર્મદાબેન નાનજીભાઇ ઉમટ માતા-પિતાજીને તુ તારા ઘરમાં કેમ બેસવા દે છે.

[google_ad]

તેમ કહી લોખંડનું ધુપલીયું લઇ રમીલાબેનને મારવા ગયા હતા. તે વખતે રમીલાબેન પાછળ ફરી જતાં પુત્ર કાર્તિકના માથામાં ધુપલીયું વાગતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી.

[google_ad]

advt

 

બૂમાબૂમ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા. તેના પિતા રામાભાઇ વાઘાભાઇ ઉમટ, જેઠનો દીકરો મુકેશભાઇ સેધાભાઇ ઉમટ અને ભટાભાઇ વિરમાભાઇ ઉમટ દોડી આવ્યા હતા અને બાઇક લઈને સારવાર અર્થે પાંથાવાડા બાદ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

[google_ad]

 

જ્યાં રાત્રે સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતુ. આ અંગે રમીલાબેને ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share