પાલનપુર-ખીમાણા ટોલનાકા નજીકથી જીવદયાપ્રેમીઓએ ટ્રકમાં કતલખાને લઇ જવાતાં 30 અબોલ પશુઓને બચાવ્યા

Share

પાલનપુર-આબુ હાઇવે ઉપર ખેમાણા ટોલનાકા નજીકથી એક ટ્રકને જીવદયાપ્રેમીઓએ રોકાવી કતલખાને લઇ જવાતાં 30 પશુઓ બચાવી લીધા હતા. આ અંગે પાટણના ટ્રક ચાલકની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખેમાણા ટોલનાકા નજીકથી દાંતીવાડા નીલપુર કોલોનીના જીવદયાપ્રેમી હીમાલયકુમાર રમેશભાઇ માલોસણીયા, પાંથાવાડાના મનિષભાઇ નારણાજી ભાટ અને રામનગરના જયેન્દ્રસિંહ ફતેસિંહ વાઘેલા શનિવારે રાત્રિના સુમારે વાહનમાં પસાર થતાં હતા.

[google_ad]

 

 

ત્યારે આગળ જતાં આઇશર ટ્રક નં. GJ-01-J-T-1413 માં પશુઓ ભરેલા હોવાનું જણાતાં પાલનપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં ખીચોખીચ હાલતમાં અને ઘાસચારા-પાણીની વ્યવસ્થા કર્યા વિના કતલખાને લઇ જવાતાં 29 પાડા અને 1 પાડી મળી કુલ 30 પશુઓ મળી આવ્યા હતા.

[google_ad]

 

advt

 

આ અંગે પોલીસે ટ્રક ચાલક પાટણ વાગડોદના શાહરૂખખાન મિસરીખાન બલોચની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જીવદયાપ્રેમીઓએ 30 પશુઓ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી. આ અંગે પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘પશુઓ રાજસ્થાનના સોજતથી અમદાવાદ સરખેજ મંડી બજારમાં લઇ જવામાં આવતા હતા.’

 

From – Banaskantha Update


Share