રણજીત હત્યા કેસમાં રામ રહીમ સહીત પાંચ દોષિતોને આજીવન કેદની સજા

Share

રણજીત સિંહ હત્યાકાંડમાં કોર્ટે ડેરા સચ્ચ સોદાના પ્રમુખ રામ રહીમ સહીત 5 અન્ય દોષિતોને ઉંમર કેદની સજા સંભળાવી હતી. આ કેસમાં રામ રહિમ સિવાય બાકીના દોષિતોના નામ જસબીર, અવતાર, કૃષ્ણ લાલ અને સબદિલ છે. પંચકૂલા CBI જજ સુશીલ ગર્ગે રામ રહીમને 31 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે બાકીના ચાર દોષિતોને રૂ. 50-50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. રામ રહીમને આ પહેલા પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં પણ આજીવન કેદની સજા થઈ ચૂકી છે. આ સિવાય બે સાધ્વીઓના યૌન શોષણ મામલામાં પણ રામ રહીમને 10-10 વર્ષની સજા થઈ છે.

[google_ad]

કોર્ટનો ચૂકાદો આવ્યા પછી સી.બી.આઈ. વકીલ એચ.પી.એસ. વર્માએ જણાવ્યું હતું કે, રામ રહી આજીવન જેલમાં જ રહેશે. રણજીત સિંહ હત્યાકાંડમાં જે સજા સંભળાવવામાં આવી છે, તે પહેલા સંભળાવવામાં આવેલી સજાની સાથે જ ચાલશે. બીજી તરફ ચૂકાદો આવ્યા પછી રણજીત સિંહના પુત્ર જગસીરે કોર્ટના ચૂકાદા પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

[google_ad]

 

 

રામ રહી આજીવન જેલમાં જ રહેશે. રણજીત સિંહ હત્યાકાંડમાં જે સજા સંભળાવવામાં આવી છે, તે પહેલાં સંભળાવવામાં આવેલી સજાની સાથે જ ચાલશે. બીજી તરફ ચૂકાદો આવ્યા પછી રણજીત સિંહના પુત્ર જગસીરે કોર્ટના ચૂકાદા પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

[google_ad]


તા.10 જુલાઈ 2002ના રોજ ડેરા સચ્ચા સોદાની મેનજમેન્ટ કમિટીના મેમ્બર કુરક્ષેત્રના રણજીત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ડેરા મેનેજમેન્ટને શક હતો કે રણજીત સિંહએ સાધ્વી યૌન શોષણ મામલામાં પોતાની બહેન પાસે અનામી પત્ર લખાવ્યો.

[google_ad]

advt

 

પોલીસ તપાસથી અસંતુષ્ટ રણજીત સિંહના પિતાએ જાન્યુઆરી 2003માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરીને પોતાના પુત્રની હત્યાની તપાસ સી.બી.આઈ. પાસે કરાવવાની માંગ કરી હતી. આ અરજીને કોર્ટ ગ્રાહ્ય રાખી હતી. સી.બી.આઈ.એ આ મામલામાં ડેરામુખી રામ રહીમ સહીત 5 લોકોની વિરુદ્ધ કેસ નોંધાવ્યો. 2007માં સી.બી.આઈ.ની સ્પેશિયલ કોર્ટે આરોપીઓ પર ચાર્જ ફ્રેમ કર્યો અને તા. 8 ઓક્ટોબર 2021ના રોજ તેને દોષિત ઠેરવ્યા હતા.

[google_ad]

 

રણજીત સિંહ હત્યાકાંડમાં 3 સાક્ષીની જુબાની મહત્વપૂર્ણ રહી. તેમાંથી બે સાક્ષી સુખદેવ સિંહ અને જોગિન્દ્ર સિંહે કોર્ટને જણાવ્યું હતું કે, તેમણે આરોપીઓને રણજીત સિંહ પર ગોળી મારતાં જોયા. ત્રીજો સાક્ષી ડેરામુખીનો ડ્રાઈવર ખટ્ટા સિંહ રહ્યો. ખટ્ટા સિંહ પ્રમાણે, તેના સામે જ રણજીત સિંહને મારી નાખવાનું ષડયંત્ર રચવામાં આવ્યું. ખટ્ટા સિંહે પોતાના નિવેદનમાં જણાવ્યું કે રામ રહીમે મારી સામે જ રણજીત સિંહને મારવાનું કહ્યું હતું. કેસની શરુઆતી સુનાવણી સમયે ખટ્ટા સિંહ કોર્ટમાં આ નિવેદનથી ફરી ગયો હતો, પરંતુ ઘણા વર્ષો પછી તે ફરી કોર્ટમાં હાજર થયો અને જુબાની આપી. તેની જુબાનીના આધારે જ પાંચને દોષી સાબિત કરવામાં આવ્યાં.

[google_ad]

 

ડેરાની બે સાધ્વિઓના જાતીય શોષણ મામલામાં તા. 28 ઓગસ્ટ 2017એ ડેરા પ્રમુખ રામ રહીમને 20 વર્ષની સજા આપવામાં આવી હતી. ત્યારે પંચકૂલામાં સી.બી.આઈ. કોર્ટ દ્વારા ડેરામુખીને દોષી સાબિત કર્યા બાદ પંજાબ-હરિયાણા અને રાજસ્થાન સહીત 5 રાજ્યોમાં ડેરાના અનુયાયી હિંસા પર ઉતરી આવ્યા હતા, જેમાં 31 લોકોના મોત થયા હતા. અને 250થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દિલ્હીમાં ટ્રેનના બે ખાલી ડબ્બા બાળી નાખવામાં આવ્યાં હતાં. પંચકૂલામાં ડેરાના દોઢ લાખ અનુયાયી 3 કલાક સુધી હિંસા કરતા રહ્યા. પંચકૂલા સિવાય પંજાબના પટિયાલા, ફાજિલ્કા, ફિરોઝપુર, માનસા અને બઠિંડામાં કર્ફ્યુ લાદવામાં આવ્યું હતું.

[google_ad]

 

યૂપીના લોનીમાં પણ હિંસા ફાટી નીકળી. આ હિંસાથી નાખુશ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે નુકસાનની ભરપાઈ માટે ડેરાની સંપત્તિ જપ્ત કરવાનું કહ્યું. તે કેસમાં જ્યારે ન્યાયાધીશ જગદીપ સિંહે ડેરામુખીને દોષી ગણાવ્યો ત્યારે તે રડી પડ્યો. તેને પંચકૂલાથી હેલિકોપ્ટર મારફતે સીધા રોહતકની સુનારિયા જેલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારથી ડેરામુખી રોહતક જેલમાં જ કેદ છે.

 

From – Banaskantha Update


Share