ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લીધાને એકાદ સપ્તાહ થઇ ગયું છે. છતાં 15માંથી 6 ડેમોમાં હજુ પાણીની આવક ચાલુ રહી છે. તા.16 ઓક્ટોબરની સ્થિતિએ ચાલુ વર્ષ કુલ ક્ષમતાના 36.81% જળસંગ્રહ થયું છે. જે ગત વર્ષે 81.85% જળસંગ્રહ થયું હતું. આમ, ગત વર્ષ કરતાં ચાલુ વર્ષ 45.04% ઓછું જળસંગ્રહ થયું છે. જોકે, 6 ડેમમાં હજુ પાણીની આવક ચાલુ હોઇ જળ સંગ્રહમાં થોડો વધારો થઇ શકે છે.
[google_ad]
ઉત્તર ગુજરાતના ધરોઇ, દાંતીવાડા, લાંક, જવાનપુરા, મેશ્વો અને ગોરઠીયા ડેમમાં પાણીની આવક હજુ ચાલુ છે. આ સાથે ઉત્તર ગુજરાતના 15 જળાશયોની કુલ ક્ષમતાના 36.81% સાથે 71,019 કરોડ લિટર જળસંગ્રહ થયું છે. નિષ્ણાતના મતે, હજુ દસેક દિવસ 6 ડેમમાં પાણીની આવક ચાલુ રહેવાની શક્યતા હોઇ થોડું ઘણું જળસંગ્રહ વધી શકે છે.
[google_ad]
બીજી બાજુ, ગત વર્ષે 81.85% સાથે 1,57,904 કરોડ લિટર જળસંગ્રહ થયું હતું. આ વર્ષે તા. 16 ઓક્ટોબરની સ્થિતિએ ગત વર્ષ કરતાં 86,885 કરોડ લિટર (45.04%) ઓછું જળસંગ્રહ થયું છે.
[google_ad]
15 જળાશયોમાં જળસંગ્રહની સ્થિતિ | ||||
જીલ્લો | જળાશય | 2020 | 2021 | વધ-ઘટ |
મહેસાણા | 1 | 81157 | 37831 | -43326 |
બનાસકાંઠા | 3 | 29440 | 6682 | -23258 |
સાબરકાંઠા | 5 | 6862 | 3614 | -3248 |
અરવલ્લી | 6 | 40446 | 22892 | -17554 |
કુલ | 15 | 157904 | 71019 | -86885 |
(નોંધ : તા. 16 ઓક્ટોબરની સ્થિતિએ જળસંગ્રહની સ્થિતિ કરોડ લિટરમાં) | ||||
છેલ્લા 2 વર્ષમાં 15 ડેમમાં ભરાયેલ પાણીની વિગત | ||||
જળાશય | 2020 | 2021 | ||
ધરોઇ | 99.81% | 46.52% | ||
મુક્તેશ્વર | 54.25% | 12.40% | ||
દાંતીવાડા | 67.71% | 15.68% | ||
સીપુ | 6.70% | 0.75% | ||
વાત્રક | 88.60% | 50.94% | ||
ગુહાઇ | 50.34% | 14.06% | ||
માઝુમ | 97.94% | 73.29% | ||
હાથમતી | 100% | 42.46% | ||
લાંક | 80.47% | 38.49% | ||
જવાનપુરા | 100% | 100% | ||
હરણાવ-2 | 99.50% | 64.76% | ||
મેશ્વો | 100% | 74.10% | ||
વૈડી | 99.22% | 96.70% | ||
ખેડવા | 76.16% | 76.16% | ||
ગોરઠીયા | 99.61% | 99.61% |
15 પૈકી માત્ર 4 જળાશય એવા છે કે, જેમાં 76%થી વધુ જળસંગ્રહ, 3 જળાશયમાં 51% થી માંડી 75% સુધીનું જળસંગ્રહ થયું છે. જ્યારે 8 જળાશય એવા છે કે જેમાં 50%થી ઓછું જળસંગ્રહ થયું છે. ઓછા પાણીના આ જથ્થાથી શિયાળાની ઋતુ પૂરી થવા સુધીમાં 5 ડેમમાં વપરાશલાયક પાણીનો જથ્થો પૂરો થઇ જશે. ઉનાળો શરૂ થતાંની સાથે પાણીની ખેંચ વર્તાશે.
[google_ad]
જીલ્લામાં સરેરાશ 22.40 ઇંચ વરસાદ સાથે ચોમાસાએ વિદાય લીધી છે. 22.64% વરસાદની ઘટ સાથે છેલ્લા 34 વર્ષમાં 12મું સૌથી નબળુ ચોમાસુ રહ્યું છે. સૌથી ઓછો 5.56 ઇંચ વરસાદ 1987માં, જ્યારે સૌથી વધુ 56.84 ઇંચ વરસાદ 2006માં નોંધાયો હતો. ચાલુ ચોમાસામાં 7 વ્યક્તિ અને 24 પશુનાં મોત થયાં છે. જેમાં 7 પૈકી 6 વ્યક્તિના મોત વીજળી પડતાં થયાં છે. વર્ષ 2020માં 7 પૈકી 2 માનવમૃત્યુ અને 25 પૈકી 19 પશુનાં મોત વીજળી પડવાથી થયા હતા. 10 વર્ષમાં સૌથી વધુ 12 માનવ મૃત્યુ 2013ના ચોમાસામાં, જ્યારે 2015ના ચોમાસામાં સૌથી વધુ 1200 પશુનાં મોત થયા હતા.
[google_ad]
34 વર્ષમાં સૌથી નબળાં 5 ચોમાસા | |||
વર્ષ |
વરસાદ | ||
1987 | 5.56 ઇંચ | ||
2018 | 11.20 ઇંચ | ||
2000 | 11.56 ઇંચ | ||
2002 | 11.80 ઇંચ | ||
1995 | 15.52 ઇંચ |
From – Banaskantha Update