પાલનપુરમાં જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

Share

પાલનપુરમાં જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જીલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં પંડીત દિન દયાળ ગ્રાહક ભંડારની 3 જેટલી દુકાનોના સ્થળ બદલવા માટે દરખાસ્ત રજૂ કરાઇ હતી. ગ્રાહક ભંડારની દુકાનોને 100 ટકા ઇ.એેફ.પી.એસ. કરવામાં આવેલી છે. ગ્રામ્ય/તાલુકા/ જીલ્લા કક્ષાની તકેદારી સમિતિની રચના અને બેઠક મળવા અંગે અન્ન સલામતિ જથ્થાના કેસો અને ગ્રાહક સુરક્ષા મંડળોના કેસોની સમીક્ષા કરાઇ હતી. દિવાળીના તહેવારો પહેલાં પુરવઠો ફાળવણી લોકોને આપી દેવા ધારાસભ્યો દ્વારા એકસૂરે રજૂઆત કરાઇ હતી.

[google_ad]

બેઠકમાં પુરવઠા વિષયક કામગીરીની ચર્ચા દરમિયાન જીલ્લા પુરવઠા અધિકારી એસ.જે.ચાવડાએ જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠા જીલ્લામાં સપ્ટેમ્બર-2021 દરમિયાન 139 એફ.પી.એસ. અને 2 ગોડાઉનની તપાસણી કરવામાં આવેલ છે. જેમાં 12 કેસોનો નિકાલ કરી રૂ.1,09,573 નો દંડ કરવામાં આવ્યો છે અને 20 પરવાના મોકૂફ કરવામાં આવ્યા છે. અન્નપૂર્ણા યોજના હેઠળ જીલ્લામાં સપ્ટેમ્બર-2021 ના માસમાં 18 લાભાર્થીઓને લાભ અપાયો છે. ભૂખમરો અને કૂપોષણથી રક્ષણ આપવા માટે અન્ન બ્રહ્મ યોજનામાં 82 જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ અપાયો છે. બનાસકાંઠા જીલ્લામાં કુલ-1024 વ્યાજબી ભાવની દુકાનો મારફત લોકો સુધી પુરવઠો પુરો પાડવામાં આવે છે. જીલ્લામાં કુલ-41 ગેસ એજન્સીઓ મારફત ગેસ બોટલનું વિતરણ કરવામાં આવે છે.’

[google_ad]

આ બેઠકમાં જીલ્લા પંચાયતના પ્રમુખ વારકીબેન પારઘી, સંસદ સભ્યો પરબતભાઇ પટેલ અને દિનેશભાઇ અનાવાડીયા, ધારાસભ્યો શશીકાંતભાઇ પંડયા,ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, કાંતિભાઇ ખરાડી, નથાભાઇ પટેલ, શિવાભાઇ ભૂરીયા, મહેશભાઇ પટેલ, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન દિનેશભાઇ પરમાર, જીલ્લા પુરવઠા સલાહકાર સમિતિના સભ્યો નિલેશભાઇ મોદી, ર્ડા. રાજાભાઇ પટેલ, દિનેશભાઇ પટેલ અને દલપતભાઇ બારોટ સહીતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

From – Banaskantha Update


Share