બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિન્દુ મંદિર પર હુમલો : ગોળીબારમાં 3 લોકોનાં મોત

Share

બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા થયો છે. બાંગ્લાદેશ પોલીસનું કહેવું છે કે, દુર્ગા પૂજા દરમિયાન ચાંદપુર જીલ્લામાં ભીડે હિન્દુ મંદિર પર હુમલો કર્યો. એ દરમિયાન થયેલી ઝપાઝપીમાં ગોળી મારીને 3 લોકોની હત્યા કરવામાં આવી છે. દેશના અલગ-અલગ ભાગોમાં મંદિરો પર આ જ રીતે હુમલાઓની ખબરો આવી રહી છે.

[google_ad]

આ અંગે બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તા. 13-ઓક્ટોબર-2021નો દિવસ બાંગ્લાદેશના ઇતિહાસમાં નિંદનીય દિવસ છે. અષ્ટમીના દિવસે મૂર્તિ વિસર્જન પ્રસંગે અનેક પૂજા મંડપોમાં તોડફોડ કરવામાં આવી છે. હિન્દુઓએ હવે પૂજા મંડપોની રક્ષા કરવી પડશે. આજે આખી દુનિયા મૌન છે. માતા દુર્ગા તમામ હિન્દુઓ પર આશીર્વાદ જાળવી રાખે, ક્યારેય માફ ન કરતા.

[google_ad]

 

બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલે બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીના પાસે માગ કરી છે કે, હિન્દુઓની સુરક્ષામાં વધારો કરવામાં આવે. કાઉન્સિલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, જો બાંગ્લાદેશના મુસલમાન નથી ઈચ્છતા તો હિન્દુ પૂજા નહિ કરે, પરંતુ હિન્દુઓને બચાવી લો. હુમલાઓ હજી પણ થઈ રહ્યા છે. પ્લીઝ, આર્મી મોકલાવો. અમે પૂજા મંડપોમાં બાંગ્લાદેશની આર્મી ઈચ્છીએ છે.

[google_ad]

 

છેલ્લા 24 કલાકમાં શું થયું છે, તેને અમે ટ્વિટમાં પ્રકાશિત કરી શકતા નથી. બાંગ્લાદેશના હિન્દુઓએ કેટલાંક લોકોના અસલી ચહેરા જોયા. અમે નથી જાણતા કે ભવિષ્યમાં શું થશે, પરંતુ બાંગ્લાદેશના હિન્દુ 2021ની દુર્ગા પૂજાને કદી નહી ભૂલી શકે.

[google_ad]

 

, કુરાનના અપમાનની અફવાઓ ફેલાઈ રહી છે. તે કારણે નાનુઆ દિધી પારના પૂજા મંડપમાં હુમલો થયો છે. અમે દરેક મુસ્લિમ ભાઈઓને કહેવા માંગીએ છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરો. અમે કુરાનનું સન્માન કરીએ છે. કોઈ તોફાન કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે. કુરાન અને દુર્ગા પુજાનો કોઈ સંબંધ નથી. નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. કૃપા કરીને કોઈ હિન્દુ તથા મંદિર પર હુમલો ન કરો.

[google_ad]

બાંગ્લાદેશ હિન્દુ યૂનિટીએ ટ્વિટ કર્યું સારા મુસલમાન હજી પણ બાંગ્લાદેશમાં છે, તેમના લીધે અમે બાંગ્લાદેશમાં છીએ. તે દરેક મુસલમાનનો આભાર જે હિન્દુઓ સાથે ઉભા છે. અમે બાંગ્લાદેશમાં પોતાના મુસ્લિમ ભાઈઓ સાથે સદ્ભાવથી રહેવા માગીએ છે.

From – Banaskantha Update

 


Share