પૂર્વ આઇ.પી.એસ. સામેના 25 વર્ષ જૂના એન.ડી.પી.એસ. કેસની 9 માસમાં ટ્રાયલ પૂર્ણ કરવા હાઈકોર્ટે આદેશ ફરમાવ્યો : એફ.આઈ.આર.ના કાગળો મેળવવાની માંગણી કોર્ટે ગ્રાહ્ય રાખી

Share

પૂર્વ આઇ.પી.એસ. અધિકારી સંજીવ ભટ્ટ સામે નોંધાયેલા એન.ડી.પી.એસ. કેસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં સંજીવ ભટ્ટ સામે 25 વર્ષ જૂના કેસની ટ્રાયલ 9 માસમાં પૂર્ણ કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે. સંજીવ ભટ્ટે ડીસા તાલુકાની અમુક એફ.આઈ.આર.ના કાગળો મેળવવા કરેલી માંગણીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે.

[google_ad]

સંજીવ ભટ્ટે 1996 માં પાલનપુરની હોટલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ લાગ્યો હતો. તા. 5 સપ્ટેમ્બર 2018 માં સંજીવ ભટ્ટની અટકાયત કરાઇ હતી.

[google_ad]

advt

આ મામલે સંજીવ ભટ્ટે ટ્રાયલ કેસમાં ઝડપથી કાર્યવાહી થાય તે માટે ગુજરાત હાઇકોર્ટમાં સબંધિત દસ્તાવેજો મેળવાય અને કાર્યવાહી થાય તે માટે અરજી કરી હતી. જે અંગે કોર્ટે 9 માસમાં આ કાર્યવાહી પૂર્ણ કરવા આદેશ કર્યો છે. આ મામલે કેસની ટ્રાયલ દરમિયાન જ્યારે જરૂરીયાત ઉભી થાય અને તે જરૂરીયાત યોગ્ય રીતે ટ્રાયલ કોર્ટ સમક્ષ મૂકી કોર્ટે તે મુદ્દે નિર્ણય લેવાનું પણ કોર્ટે નોંધ્યું છે.

[google_ad]

 

આ મામલે 2018 માં સંજીવ ભટ્ટની સી.આઈ.ડી. ક્રાઈમે અટકાયત કરી હતી. પાલનપુરની એક હોટલના રૂમમાં અફીણનો જથ્થો મૂકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં અટકાયત કરી હતી. ઉપરાંત સી.આઈ.ડી. ક્રાઈમે પાલનપુરના તત્કાલીન પી.આઈ. વ્યાસની પણ અટકાયત કરી હતી. તા. 30 એપ્રિલ 1996 માં એક કેસ દાખલ કરાયો હતો. જેમાં પાલનપુરની લાજવંતી હોટલમાં સુમેરસિંહ રાજપુરોહીત અફીણનો જથ્થો લઈ આવનાર છે તેવી બાતમીના પગલે પોલીસે રેડ કરી એક કિલો 15 ગ્રામ અફીણ જપ્ત કર્યું હતું.

[google_ad]

સંજીવ ભટ્ટ જ્યારે ગોધરાકાંડના મામલે આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે તેમને એક સુરક્ષા કર્મી સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેમણે સુરક્ષા કર્મીને લાફો મારી દીધો હતો અને તેની ફરિયાદ પણ નોંધાઈ હતી. માત્ર એટલું જ નહીં સંજીવ ભટ્ટે પોતાના મેમનગર પાસે આવેલા બંગલોમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું. જેને લઇ ખૂબ વિવાદ થયો હતો.

[google_ad]

 

સંજીવ ભટ્ટે 2011 માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરતાં ખૂબ કાયદાકીય વિવાદ થયો હતો. આ સોગંદનામામાં તેમણે નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, 2002 ના રમખાણો માટે રચવામાં આવેલી એસ.આઈ.ટી. પર તેમને વિશ્વાસ નથી. તો બીજી તરફ ગુજરાત રાજ્યના અધિકારીઓએ ભટ્ટ પર આરોપ લગાવતાં કહ્યું હતું કે, તેઓ મોદી પર ખોટા આરોપો લગાવી રહ્યા છે.

[google_ad]

 

સંજીવ ભટ્ટને 2011 માં રાજ્ય સરકાર દ્વારા ફરજ પર ગેરહાજર અને સરકારી વાહનોની મંજૂરી લીધા વિના દૂરઉપયોગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2015 માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમને સર્વિસ પરથી ફરજ મુક્ત કરવાની ભલામણ કરી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી.

 

From – Banaskantha Update


Share