પાલનપુરની વિવિધ સોસાયટીઓમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા રૂા.31,000નો દંડ ફટકાર્યો

Share

પાલનપુર શહેરમાં ડેન્ગ્યુ સહીત મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે બનાસકાંઠા જીલ્લા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે.

[google_ad]

આરોગ્ય વિભાગના 10 સભ્યો અને નગરપાલિકાના 2 સભ્યોની 4 ટીમો દ્વારા પાલનપુર શહેરની કુલ-32 જેટલી સાઇટોની તપાસ કરાઇ હતી. જે પૈકી ત્રણ સ્થળોએ પોરા મળી આવતાં કુલ રૂા. 31,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. પાલનપુરની નક્ષત્ર હાઇટ હરીપુરાને રૂા. 21,000 અને ગોકુલ ધામ તથા શિલ્પ હાઇટ સોસાયટીને રૂા. પાંચ-પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

[google_ad]

સમગ્ર બનાસકાંઠા જીલ્લો અને ખાસ કરીને પાલનપુર શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનીયા સહીતનો મચ્છરજન્ય રોગચાળો ન પ્રસરે તે માટે જીલ્લા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા જાહેર સ્થળોની મુલાકાત લઇ પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે.

[google_ad]

આ અંગે બનાસકાંઠા જીલ્લા એપેડેમીક મેડીકલ ઓફીસર ર્ડા. એન.કે. ગર્ગે જણાવ્યું હતું કે, આજની પોરાનાશક કામગીરી દરમિયાન જે વિસ્તારોમાં પોરા જણાઇ આવ્યા હતા. તેમને કુલ રૂા. 31,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સોમવારે પાલનપુર શહેરમાં કુલ-32 જેટલી સાઇટોની તપાસણી કરાઇ હતી.

 

[google_ad]

જેમાં 18 જેટલી કન્ટ્રક્શન સાઇટ, ત્રણ હોટલ/રેસ્ટોરન્ટ, સાત ટાયર/ભંગાર, એક સરકારી બિલ્ડીંગ અને ત્રણ અન્ય સાઇટોની તપાસ કરાઇ હતી. આ દરમિયાન 357 જેટલાં પાત્રોની તપાસ કરાઇ હતી. જેમાં 151 પાત્રોમાં પોરા મળી આવ્યા હતા. જેમને દંડ અને કુલ-15 જેટલાંને નોટીસ આપવામાં આવી છે અને આ કામગીરી સતત ચાલુ છે તેમ તેમણે જણાવ્યું હતું.

 

 

From – Banaskantha Update


Share