ડીસાની હવેલીમાં નંદ મહોત્સવ કાર્યક્રમ યોજાયો

Share

ડીસાની ગુલબાણી નગર વિસ્તારમાં આવેલ શ્રી ગોવર્ધનનાથજી મંદિરે ભક્તો દ્વારા દર વર્ષે વિવિધ કાર્યક્રમો યોજાતાં હોય છે. દર વર્ષે ભક્તો દ્વારા ગોવર્ધનનાથજીની ભક્તિમાં રંગાઇ અનેક કાર્યક્રમો યોજાય છે.

[google_ad]

જે અંતર્ગત શુક્રવારે ગોવર્ધનનાથજીની હવેલી ખાતે કાંકરોલી ગોસ્વામી વાગીશ બાવા દ્વારા નંદ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીસા અને રાધનપુરના સર્વે વૈષ્ણવો કાર્યક્રમમાં સહભાગી થઇ આનંદ વ્યક્ત કર્યો હતો.

[google_ad]

કીર્તન ગાન કર્યાં હતા અને સમસ્ત વૈષ્ણવ મહેરામણ આનંદથી ઝૂમી ઉઠી હતી. ડીસામાં શ્રી શ્રીજી ધામ હવેલીમાં વિવિધ મનોરથોનું આયોજન કરાયું હતું. જેમાં સવારે બ્રહ્મ સબંધ, પલના અને નંદ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાગીશકુમાર મહારાજ દ્વારા સૌપ્રથમ ઠાકોરજીને પલના કરાવી વૈષ્ણવો સાથે નંદ મહોત્સવની લીલા કરી હતી. ત્યારબાદ ઠાકોરજીની આરતી કરી હતી. જેમાં ડીસા અને રાધનપુરના સર્વે વૈષ્ણવો મનોરથમાં સહભાગી થઇ આનંદ વ્યક્ત કર્યો હતો અને કીર્તન ગાન કર્યાં હતા. સમસ્ત વૈષ્ણવ મહેરામણ આનંદથી ઝૂમી ઉઠી હતી.

 

From – Banaskantha Update


Share