પાલનપુર તાલુકાના પીરોજપુરા ગામમાં દારૂનું વેચાણ અને ખોટી રજૂઆતો કરી એક શખ્સે મહીલા સરપંચને લાફો માર્યો હતો. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના પીરોજપુરાના હરીભાઇ પાનાચંદભાઇ પ્રજાપતિને ગામના વિનોદભાઇ કેશાભાઇ ભગતે ગામમાં દારૂ વેચાય છે તમે કેમ કહેતાં નથી તેમ કહી ગામમાં વિકાસના કામમાં ખોટી રજૂઆતો કરી અપશબ્દો બોલ્યા હતા અને મારવા સામે થતાં હરીભાઇના પત્ની ગામના સરપંચ મણીબેન છોડાવવા માટે વચ્ચે પડયા હતા.
[google_ad]
આથી વિનોદભાઇએ તેણીને લાફો માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઝપાઝપીમાં મણીબેનના ગળામાંથી રૂ. 8,000 ની સોનાની ચેઇન પડી ગઇ હતી. આ અંગે મણીબેને પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
From – Banaskantha Update