ભાજપ પ્રમુખે પરિવાર સાથે જગત જનની માં અંબાના દર્શન કર્યા

Share

શક્તિપીઠ અંબાજીમા આજે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પોતાના પરિવાર સાથે જગત જનની માં અંબાના ધામમાં પહોંચ્યાં હતા. જેમણે અંબાના ચરણોમાં શિશ ઝૂકાવી પરિવાર સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

[google_ad]

અગાઉ સી.આર. પાટીલે જન આશિવાર્દ યાત્રા શરૂ કરી ત્યારે માં અંબાના આશીર્વાદ લઈને યાત્રા કરી હતી. જ્યારે હવે ફરી પાટીલે પરિવાર સાથે આજે માં અંબાના દર્શન કર્યા હતાં.

[google_ad]

અંબાજી આવેલા સી. આર પાટીલે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતથી જ્યારે યાત્રા ચાલુ કરી ત્યારે માં અંબાના આશીર્વાદ લઈને યાત્રા શરૂ કરી હતી. ત્યાર પછી અમને ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત થઈ છે અને આશીર્વાદ અમને પ્રાપ્ત થયા હતા. ત્યારે આજે ફરી દર્શન કરવામાં માટે આવ્યો છું.

 

From – Banaskantha Update


Share