સૂઇગામના પૌરાણિક રાજેશ્વર મહાદેવના મંદિરમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં મંદિરમાં ઘૂસી છત્તર સહીતની ચોરી કરી શખ્સો ફરાર થઇ ગયા હતા. જ્યારે શિવલિંગ સહીતની જગ્યાએ નુકશાન પહોંચાડ્યું હતું. આ અંગે સૂઇગામ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધ્યો છે.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, સૂઇગામના પૌરાણિક રાજેશ્વર મહાદેવના મંદિરમાં તા. 11 જુલાઇએ અજાણ્યા તસ્કરો મંદિરમાં ત્રાટક્યા હતા. જેમાં મંદિરમાં ઘૂસી છત્તર સહીતની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.
[google_ad]
જ્યારે શિવલિંગ સહીતની જગ્યાએ નુકશાન પહોંચાડતાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. સૂઇગામ પોલીસે સોમવારે તપાસ દરમિયાન મંદિરમાં ચોરી કરનાર નટ ગેંગના મણકા પુના સોલંકીને ઝડપી પાડ્યો હતો. આ અંગે સૂઇગામ પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.
From – Banaskantha Update