બનાસકાંઠામાં વર્ષો પહેલાં કોઇ તરવૈયો ન મળતાં સુલતાન મીરે હિંમતભેર તળાવમાં કૂદી અનેક લોકોની જીંદગી બચાવી છે

Share

બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં આત્મહત્યાનો બનાવ હોય કે અકસ્માતનો બનાવ હોય બચાવ કામગીરી માટે તંત્રના મોંઢે જે નામ હોય છે તે સુલતાન મીરનું નામ હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે, સુલતાન મીર બનાસકાંઠામાં 2008થી કેનાલ બની ત્યારથી લઇ આજ સુધીમાં 3,000 જેટલાં મૃતદેહ કેનાલની બહાર કાઢી ચૂક્યા છે. સૌથી મોટી વાત એ છે કે, તેઓ 200 થી વધુ લોકોને કેનાલમાંથી જીવિત બહાર કાઢી નવજીવન આપવામાં સફળ રહ્યા છે.

[google_ad]

 

બનાસકાંઠામાં સરકાર દ્વારા વર્ષ-2008માં કેનાલ બનાવવામાં આવી છે. ત્યારબાદ અહીં આત્મહત્યાના બનાવો પણ વધ્યા છે. કેનાલના ઉંડા પાણીમાં ગરકાવ થતાં મૃતદેહની શોધખોળ કરવી મુશ્કેલ બનતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા પણ સુલતાન મીરની મદદ લેવામાં આવતી હોય છે. તંત્રનો કે સામાન્ય વ્યક્તિ તરફથી જાણ થતાં જ સુલતાન મીર ઘટનાસ્થળે પહોંચી જાય છે અને કેનાલમાં ડૂબકી લગાવી શોધખોળ શરૂ કરી દે છે. આજદિન સુધીમાં તેઓ કેનાલમાંથી 3,000થી વધુ મૃતદેહ બહાર કાઢી ચૂક્યા છે. જ્યારે 200થી વધુ લોકોને જીવતા બહાર કાઢી નવજીવન પણ આપી ચૂક્યા છે.

[google_ad]

 

સુલતાન મીર થરાદ નગરપાલિકામાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમને નગરપાલિકા દ્વારા હાલ માસિક રૂ. 12,000 મહેનતાણું આપવામાં આવે છે. ત્યારે સુલતાન મીર અને અન્ય લોકોની માંગ છે કે, તેની સેવાને બિરદાવી નગરપાલિકા દ્વારા તેને યોગ્ય પગાર મળે તેવી નોકરી આપવી જોઇએ. સુલતાન મીરની આ સેવા બદલ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ સન્માન કરી ચૂક્યા છે.

[google_ad]

 

આ અંગે સુલતાન મીરે જણાવ્યું હતું કે, ‘વર્ષો પહેલાં અમારા ગામના તળાવમાં તેના પરિવારના છોકરાઓ ડૂબી રહ્યા હતા. ત્યારે અનેક લોકો તરવૈયાઓનો શોધવા માટે દોડધામ કરી હતી પણ તરવૈયા મળ્યા ન હતા. જે તે સમયે મેં હિંમત કરી તળાવમાં પડી છોકરાઓનો બચાવ્યા હતા. ત્યારબાદ તેઓ આજદિન સુધીમાં 200 થી વધુ લોકોને કેનાલમાં ડૂબતા બચાવી ચૂક્યા છે.’

[google_ad]

 

થરાદ નગરપાલિકામાં હંગામી તરીકે કામ કરતાં સુલતાન મીરનું માનીએ તો, તેને દિયોદર, વાવ, સૂઇગામમાં જ્યારે કોઇ કેનાલમાં ડૂબે તો કલેક્ટર ઓફીસ અથવા પોલીસ વિભાગ તરફથી તેના પર ફોન આવે છે અને તે બચાવ કામગીરી માટે જે તે સ્થળ પર પહોંચી જાય છે.

[google_ad]

Advt

 

સુલતાન મીર હાલ થરાદ નગરપાલિકામાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવે છે. તેને નગરપાલિકા દ્વારા રૂ. 12,000 પગાર તરીકે ચૂકવવામાં આવે છે. ત્યારે સુલતાન મીર કહી રહ્યા છે કે, આ મોંઘવારીના સમયમાં તેના માટે ઘર ચલાવવું મુશ્કેલ છે. તેઓ સરકાર પાસે આર્થિક સ્થિતિમાં સુધારો આવે તેવી મદદની માંગ કરી રહ્યા છે.

[google_ad]

 

સુલતાન મીર દ્વારા કરવામાં આવતી કામગીરીમાં જીવનું જોખમ છે અને અનેકવાર તકલીફોનો સામનો પણ કરવો પડતો હોય છે. તેમ છતાં તે પોતાની કામગીરી યથાવત રાખી છે. જુલાઇ માસમાં જ તે 18 જેટલી લાશ કેનાલમાંથી બહાર કાઢી ચૂક્યા છે.

 

From – Banaskantha Update


Share