કાંકરેજના ખોડા ગામના દાનવીર સરપંચ દર વર્ષે વયો વૃદ્ધોને નિ:શુલ્ક યાત્રા કરાવી ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડે છે

Share

કાંકરેજ તાલુકાના ખોડા ગામના દિનેશભાઈ મઘાભાઈ પટેલ સરપંચ બન્યા પછી ગામ સેવા સાથે સાથે ગામના વૃદ્ધ, વડીલો, યુવાનોને દર સાલ પોતાના ખર્ચે જાત્રા કરાવે છે તેઓ તેનો તમામ ખર્ચ જાતે કરે છે. ગામના વડીલોને આરામદાયક તમામ સુવિધાઓ સાથે પોતાની ગાડીમાં લક્ઝરીમાં ફરવા લઈ જાય છે. તેમને કોઈજાતની ખાવા-પીવાની મુશ્કેલી ન પડે તેનો ખાસ ધ્યાન રાખે છે.

[google_ad]

ખોડા ગામના દિનેશભાઈ રાજબાઈ સેવા સહકારી મંડળીમાં મંત્રી તરીકે સેવાઓ આપે છે. સ્વાધ્યાય પરિવારની પ્રવૃત્તિઓ પણ કરે છે. ટેટોડા ગૌશાળામાં પણ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. દિનેશભાઇ ખોડા ગામના સરપંચ બન્યા પછી ગામની તમામ સુવિધા એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા વગર તમામે તમામ ગ્રાન્ટ 100 ટકા વાપરે છે.

[google_ad]

Advt

ધારાસભ્ય, તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદાર, ડી.ડી.ઓ., સામાજીક આગેવાનોની સાથે રહી ગામનો વિકાસ કરે છે. ગયા વર્ષે 104 યુવાનોને હરિદ્વારની જાત્રા કરાવી હતી અને તમામ ખર્ચ સરપંચ દિનેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે ચાલુ સાલે ગામના 70 જેટલા વડીલોને કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોઇચા પાવાગઢ અને ડાકોરના દર્શન કરાવ્યા છે. આ પ્રવાસમાં પોતાના પરિવાર કે પુત્રોને જાત્રા કરવા લઇ જતા નથી.

From –Banaskantha update


Share