સાવકી માતા શેતાન બની દીકરાને રહેંસી નાખ્યો : હાથ-પગ બાંધી મૃતદેહ કોથળામાં ભરીને ફેંકી દીધો

Share

રૂપિયા માટે સબંધને દાવ પર લગાવી કોઈના જીવ લેવા સુધીની ઘટના સામે આવે ત્યારે ઘણી વખત સભ્ય સમાજની વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ થાય છે. એવું જ કંઈક અમદાવાદ શહેરને અડીને આવેલા કણભા ગામ પાસે બન્યું છે. બાળકોને મોટા કરવા પિતાએ બીજા લગ્ન કર્યા પણ સાવકી માતાએ જેવું પતિનું મોત થયું દીકરાના નામે રુપિયા ઉઘરાવવાનું શરૂ કરી દીધું હતું.

મૃતકનો ફાઈલ ફોટો

[google_ad]

આ વાત દીકરાને ખબર પડતાં માતાએ તેના મિત્રને મહારાષ્ટ્રથી બોલાવીને તેની હત્યા કરાવી દીધી છે. ત્યારબાદ લાશને સળગાવીને કોથળામાં મૂકી ફેંકી દીધી હતી. આ પ્રકરણમાં અમદાવાદ જીલ્લા પોલીસે હત્યાના ગુનામાં માતાની અટકાયત કરી છે. આ અગાઉ આ મહીલાએ પોતાના સગા દીકરાની પણ હત્યા કરી હોવાની વિગત સામે આવી રહી છે.

[google_ad]

કણભા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા ગામમાં રહેતો હાર્દિક રજનીભાઇ પટેલ નામનો 23 વર્ષિય યુવક ગુમ થયો હોવાની જાણ પોલીસને કરાઇ હતી. જોકે, પોલીસે તપાસ શરૂ કરતાં તેની સાવકી માતા શંકાના ઘેરામાં આવી હતી. જેથી પોલીસે એની ઉલટ તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, તેણે જ અન્ય ત્રણ શખ્સો સાથે મળીને હાર્દિકની હત્યા કરી નાખી છે અને મૃતદેહનો નિકાલ કરી નાખ્યો હતો.

[google_ad]

નજીકના વિસ્તારમાંથી કોથળામાંથી લાશ વિકૃત હાલતમાં મળી આવી હતી. આ હત્યા કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ખૂલી ગયો છે અને હત્યા કરનાર સાવકી માતા ગૌરી પટેલની અટકાયત કરી દીધી છે. ગૌરીએ નાસિકથી તેમના ત્રણ મિત્રોને બોલાવ્યા હતા અને હાર્દિકની હત્યા કરાવીને તેને એક કોથળામાં પેક કરીને અવાવરૂ જગ્યા પર ફેંકી દીધી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, આરોપી મહીલાની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, હાર્દિકના પિતાએ હાર્દિક સચવાય એ માટે બીજા લગ્ન કર્યા હતા. પિતા રજનીભાઇ પટેલ તેમના 2 સંતાનોને સાચવવા માટે સાત વર્ષ અગાઉ નાસિકમાં રહેતી આ ગૌરી સાથે ફૂલહાર કરીને લગ્ન કરી લીધા હતા.

 

[google_ad]

લગ્ન બાદ ગૌરી રજનીભાઇ અને બે પુત્ર હળી-મળીને રહેતાં હતા. પરંતુ થોડાક સમય પહેલાં રજનીભાઇનું પણ મૃત્યુ થઇ ગયું હતું અને ત્યારબાદ માતા અને બે પુત્ર સાથે રહેતાં હતા. જો કે, મહીલાએ સબંધીઓ પાસેથી રૂ. 25 થી 30 લાખ ઉઘરાવવાનું શરૂ કર્યુ હતું. ગૌરીબેને હાર્દિકને રૂપિયા જોઇએ છે એમ કહીને સબંધીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા. હાર્દિકને આ વાતની જાણ થતાં તેને ગૌરીને ઠપકો આપ્યો હતો અને મારા નામ પર રૂપિયા નહીં ઉઘરાવવાનું કહ્યું હતું.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

માતાએ હાર્દિકનું પત્તું કટ કરવા માટે નાસિક ફોન કર્યો હતો અને હાર્દિકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. નાસિકમાં રહેતાં તેમના મિત્રોને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી અને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. નાસિકથી ત્રણ શખ્સો કણભા આવ્યા હતા. જ્યાં તેમને હાર્કિદને બપોરે ગળેટૂંપો દઇને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં તેની પગને દોરીથી બાંધી દીધા હતા અને લાશને કોથળામાં પેક કરીને ચાર કલાક સુધી તેની પાસે બેસી રહ્યા હતા.

 

[google_ad]

ધોળા દિવસે હાર્દિકની હત્યા કરીને આરોપી મહીલા ગૌરી હાર્દિકની લાશને અવાવારૂ જગ્યા પર ફેંકી દેવા માટે હત્યારાઓએ રાત થવાની રાહ જોઇ હતી. હત્યા બાદ અંદાજીત ચાર કલાક સુધી સાવકી માતા અને હત્યારા હાર્દિકની લાશ સાથે બેઠા હતા અને જેવું અંધારું થયું તેવી તરત જ લાશને અવાવરૂ જગ્યામાં ફેંકી દીધી હતી.

 

[google_ad]

બાદમાં એક ઓળખીતા રીક્ષા ચાલકને બોલાવ્યો હતો અને એમાં મૃતદેહ લઈ જઈ અવાવરૂ જગ્યાએ લઈ જઈને આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા. હાલમાં પોલીસે મહીલાની અટકાયત કરીને અન્ય આરોપીઓને ઝડપવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. જો કે, તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપી મહીલાએ થોડાં વર્ષો પહેલાં તેના સગા પુત્રની પણ હત્યા કરી હતી. જે બાબતે નાસિક પોલીસે તેને ઝડપીને જેલમાં ધકેલી દીધી છે.

 

From – Banaskantha Update


Share