થરાદ તાલુકાના નાગલા ગામ નજીક શનિવારે નર્મદાની મુખ્ય કેનાલમાં યુવકની લાશ મળતાં ચકચાર મચી ગઇ છે. જેમાં સ્થાનિક તરવૈયાઓએ થરાદ નગરપાલિકાના ફાયર-ફાઇટરની મદદથી લાશને બહાર કાઢી હતી. આ ઘટનાની જાણ થરાદ પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ અંગે થરાદ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
[google_ad
આ અંગેની વિગત એવી છે કે, થરાદ તાલુકાના નાગલા ગામમાં રહેતાં અશોકભાઇ પરમાર (ઉં.વ.આ. ૨૪) નર્મદાની મુખ્ય કેનાલમાંથી શનિવારે લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જેમાં સ્થાનિક તરવૈયાઓએ થરાદ નગરપાલિકાના ફાયર-ફાઇટરની મદદથી લાશને બહાર કાઢી હતી.
[google_ad]
આ બનાવની જાણ થરાદ પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
[google_ad]
જ્યારે યુવકની હત્યા કરાઇ છે કે પોતે આત્મહત્યા કરી છે તેને લઇ અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. આ અંગે થરાદ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From –Banaskantha Update