પાલનપુરના વીરબાઇ ગેટ નજીક શુક્રવારે જૂના જર્જરીત થયેલા મકાનની પાછળની દીવાલ અચાનક એક મકાન પર પડતાં વૃધ્ધ દટાયા હતા. જેમાં દીવાલનો કાટમાળ વૃધ્ધ દંપતીના જૂના ઘરમાં ઘરની દીવાલ તોડી અંદર પડ્યો હતો.
[google_ad]
જ્યારે આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં ઘટનાસ્થળે દોડી વૃધ્ધને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં સારવાર દરમિયાન વૃધ્ધનું મોત નિપજ્યું હતું. જૂના જર્જરીત મકાનને ઉતારી લેવા અનેકવાર સ્થાનિક લોકોએ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી હતી. આ અંગે પાલનપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
[google_ad]
આ બનાવની વિગત એવી છે કે, પાલનપુરના વીરબાઇ ગેટ નજીક નાથાભાઇ દરજી પોતાના પરિવાર સાથે રહે છે. જેમાં બાજુમાં અડીને આવેલું વર્ષો જૂનું મકાન જર્જરીત હાલતમાં હતું. જેમાં મકાનને ઉતારી લેવા અનેકવાર સ્થાનિક લોકોએ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી હતી. જોકે, શુક્રવારે જૂના જર્જરીત થયેલા મકાનની પાછળની દીવાલ અચાનક એક મકાન પર પડતાં વૃધ્ધ દટાયા હતા.
[google_ad]
જેમાં દીવાલનો કાટમાળ વૃધ્ધ દંપતીના જૂના ઘરમાં ઘરની દીવાલ તોડી અંદર પડ્યો હતો. જ્યારે આ બનાવની જાણ સ્થાનિક લોકોને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવી કાટમાળમાંથી વૃધ્ધને બહાર નીકાળી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
[google_ad]
જેમાં સારવાર દરમિયાન વૃધ્ધનું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. જ્યારે મૃતકની લાશનું પી.એમ કરી વાલી વારસોને સુપ્રરત કરી હતી. આ અંગે પાલનપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
[google_ad]
From – Banaskantha Update