વડગામમાં ચાર બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા : અજાણ્યા શખ્સોએ રોકડ અને સોનાના ઘરેણાં લઇ ફરાર

- Advertisement -
Share

વડગામ તાલુકામાં જોઈતા ગામે ગોગ મહારાજ મંદિરમાં થયેલ ચોરીની શાહી હજુ સુકાઈ નથી ત્યારે વડગામ તાલુકા મથકનુ મથક વડગામ ખાતે ચાર મકાનનાં તાળાં તોડતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થવા પામ્યા છે.

[google_ad]

 

ચાર મકાનની ચોરી કરવામાં ચોરોને બે મકાનમાં નિષ્ફળતા મળી અને બે મકાનમાંથી દર દાગીના અને રોકડની ચોરી કરતા ચોરો જેમાં મગરવાડા ચોકડી પાસે આવેલ પટેલ વાસ પાસેના મકાનમાંથી સોનાનો દોરો આશરે કિંમત 27,000 સોનાની વિટી નંગ 4 આશરે કિંમત 18,000 સોનાની બુટ્ટી નંગ 2 આશરે કિંમત 5,000 તથા રોકડ રકમ વ31,000 ચોરો ચોરી ગ‌યેલ છે.

[google_ad]

વડગામ વરવાડીયા રોડ ઉપર આવેલ મકાનના તાળાં તોડીને દર દાગીના અને રોકડ ની ચોરી થવા પામેલ જેમાં 5,000 હજાર રોકડ સોનાની બુટી કિંમત 7,000 આને સોનાની શેર કિંમત 4,000 આમ કુલ રકમ 36,000 સોનાનાં દાગીના મળી કુલ 61,000ની ચોરી થ‌યેલ આમ કુલ મળી રકમ 97,000 ની ચોરી થ‌યેલ વડગામ પોલીસને જાણ કરતા વડગામ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરેલ જેમાં વડગામ પોલીસ સ્ટેશન ખાતે નવીન પી.એસ.આઈ આર.એસ. લશ્કરી તપાસ ચલાવી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!