લગ્નની લાલચ આપી અંબાજીમાંથી સગીરાને ભગાડી જનારા આરોપીને 10 વર્ષની કેદ

- Advertisement -
Share

અંબાજીમાંથી 5 વર્ષ અગાઉ લગ્નના ઇરાદે સગીરાને ભગાડી જનારા આરોપીને પાલનપુર એડિશનલ સેસન્સ સ્પે. પોસ્કો કોર્ટે દસ વર્ષની કેદની સજા અને રૂપિયા 5000નો દંડ ભરવાની સજા કરી હતી. અંબાજીમાં મજુરી કરતાં પરિવારના સભ્યો 1 એપ્રિલ 2016ના રોજ ભોજનાલયમાં પ્રસાદ ભરવાના મજુરી કામે ગયા હતા.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

તે દરમિયાન 17 વર્ષની દીકરીને ભોજનાલયમાં કામ કરતો રામકુમાર જગ્ગુરામ ચૌધરી ભગાડી જતાં ફરિયાદ નોંધાઇ હતી. કેસ પાલનપુરની એડિશનલ સેસન્સ સ્પે. પોસ્કો કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ આર. પી. મોગરાએ સરકારી વકીલ એન. એમ. જોષીની દલીલો ગ્રાહ્ય રાખી રામકુમારને પોકસો એકટ કલમ – 5 (એલ) કલમ 6 અન્વયે 10 વર્ષની સખ્ત કેદ અને રૂ.5000નો દંડ જો દંડ ન ભરે તો વધુ 2 માસની સાદી કેદનો હૂકમ કર્યો હતો.

 

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!