બનાસકાંઠા થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી બે યુવકોની મળી લાશ
Banaskantha Update: બનાસકાંઠા જિલ્લાના થરાદ(Tharad) પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા (narmada canal) કેનાલમાંથી આજે અલગ અલગ જગ્યાએથી બે યુવકોની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ઘટનાની જાણ થતા થરાદ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
[google_ad]
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના થરાદ ખાતે નર્મદા કેનાલ માં અનેકવાર લાશો મળી આવે છે ત્યારે આજે ફરી થરાદના મહાજનપુરા પાસેથી યુવકની કેનાલમાં તરતી લાશ જોવા મળી હતી તો બીજી તરફ થરાદ ના ઢીમા પુલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી આવી હતી.
[google_ad]
આમ થરાદના નર્મદા મુખ્ય કેનાલમાંથી અલગ-અલગ જગ્યાએથી બે યુવકોની તરતી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ થરાદ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી થરાદ પોલીસે તાત્કાલિક થરાદ નગરપાલિકાના તરવૈયા ઓને જાણકારી બંને યુવકોની લાશોને નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી તેમજ થરાદ પોલીસે બંને યુવકની લાશોને થરાદ પીએમ અર્થે ખસેડી અને આ યુવકો કોણ છે તેની તપાસ હાથ ધરી હતી
[google_ad]