રાજ્યમાં વધી રહેલા આપઘાતના બનાવો એક ચિંતાનો વિષય બન્યો છે. જેમા હવે તો પોલીસ કર્મીઓના આપઘાતના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે અરવલ્લીના ભિલોડામાં વધું એક મહિલા પોલીસકર્મના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે પોલીસબેડામાં ખળભળાટ મચી ઉઠ્યો છે. સાથે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
[google_ad]
મહિલા પોલીસકર્મીએ પોલીસ લાઈન ક્વાર્ટસમાં જ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. જેમા ગળે ફાંસો ખાઈને તેમણે મોતને વ્હાલું કરી લીધું છે. મહિલા પોલીસ કર્મી LRDમાં ફરજ બજાવતા હતા. તેમની ઉમંર 29 વર્ષ હતી. સાથેજ તેમનું નામ મંગુબેન નિનામે હોવાનું સામે આવ્યું છે.
[google_ad]
મૃતક મહિલા પોલીસના તેના પતિ સાથે અવાર નવાર ઝઘડાઓ થતા હતા. જેના કારણે તેમણે ઘરકંકાસમાં જીંદગીથી કંટાળીને મોતને વ્હાલું કરી લીધું તેવું પ્રાથમીક તારણ સામે આવ્યું છે. જોકે, આ મામલે હજું સુધી કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી. પરંતુ આપઘાતને કારણે પોલીસ બેડામાંલ ખળભળાટ મચી ઉઠ્યો છે.
[google_ad]
સમગ્ર મામલે ભિલોડા પોલીસ દ્વારા મહિલા પોલીસ કર્મીના મૃતદેહને પોર્સ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. તેમજ આ કેસમાં પોલીસ ઝીણવટ પૂર્વ તપાસ કરી રહી છે. હાલ તો પોલીસ પીએમ રીપોર્ટની રાહ જોઈ રહી છે. જેથી પી.એમ રીપોર્ટ આવ્યા પછી પોલીસ આગળની દીશામાં તપાસ કરીને યોગ્ય માહિતી મેળવી શકે.
[google_ad]
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાંજ રિવોલ્વરથી પોતાને ગોળી મારીને આપઘાત કર્યો છે. ત્યારે વધુંમાં ફરી અરવલ્લીમાં મહિલા પોલીસકર્મીના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે પોલીસબેડામાં હવે ખળભળાટ મચી ઉઠ્યો છે.
[google_ad]
From – Banaskantha Update