ધાનેરા રેલ્વે બ્રિજ નજીક ટ્રેન નીચે સોમવારે આધેડે અગમ્ય કારણોસર પડતું મૂકી આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે મૃતકની લાશને ધાનેરા રેફરલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડાઇ હતી. આ અંગે ધાનેરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં આત્મહત્યાની ઘટનાઓમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક આત્મહત્યાનો બનાવ ધાનેરામાં આવ્યો છે. જેમાં ધાનેરા તાલુકાના સીલાસણા ગામના વક્તાભાઇ પટેલ રેલ્વે બ્રિજ નજીક સોમવારે ટ્રેન નીચે અગમ્ય કારણોસર પડતું મૂકી જીવનલીલા સંકેલી લેતાં પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
[google_ad]
આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યારે આધેડ કયા કારણોસર આત્મહત્યા કરી તેને લઇ અનેક તર્ક-વિતકો સર્જાયા છે. આત્મહત્યાનું કારણ અકબંધ રહ્યું છે. આ અંગે ધાનેરા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. આ અંગે ધાનેરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
[google_ad]
From – Banaskantha Update