ગુજરાત રાજયની તમામ બજાર સમિતિઓના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે માંગ કરી રહ્યાં છે પરંતુ પ્રશ્નોનું નિરાકરણ ન થતાં બજાર સમિતિના કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
[google_ad]
વિરમગામ APMC ખાતે ગુજરાત રાજ્ય બજાર સમિતિ કર્મચારી સંઘની કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં સરકાર દ્વારા બજાર સમિતિના કર્મચારીઓના વિવિઘ પ્રશ્નોનુ નિરાકરણ ન આવતા અંગત જવાબદારી સમજી રાજ્યના બજાર સમિતિના પ્રમુખે પદ પરથી અજીતસિંહ અટોદરિયાએ રાજીનામુ આપતા રાજ્યભરના બજાર સમિતિના કર્મચારીઓમા સરકાર સામે નારાજગી જોવા મળી રહી છે. સરકાર દ્વારા વિવિઘ માંગણીઓ ન સંતોષતા પ્રમુખ બાદ તમામ કારોબારી સભ્યોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે.
[google_ad]
આ અંગે બજાર સમિતિના પ્રશ્નોનોનું નિરાકરણ નહી આવે તો આવનાર ચૂંટણીઓમાં અસર ઉભી થઇ શકે તેમ છે. રાજ્યના કર્મચારીઓ માર્કેટિંગ બોર્ડ હસ્તક સમાવેશ કરવા અને નવા કૃષિ કાયદાને લઇ રાજ્યની 35 જેટલી બજાર સમિતિ ના કર્મચારીઓ છેલ્લા 6 માસથી પગાર બંઘ છે.
[google_ad]
કોરોના મહામારીમાં આવશ્યક સેવા સાથે કામ કરતા રાજ્યના 17 જેટલા કર્મચારી કોરોનાથી મૃત્યુ પામ્યા છે જેઓને કોરોના વોરીયર્સ અંતર્ગત સમાવેશ કરી રૂપિયા 25 લાખના વીમા કવચ લાભ આપવા માંગ કરાઇ છે.
From – Banaskantha Update