શિહોરીમાં પરિણીતાને પિયરપક્ષના લોકો બળજબરી પૂર્વક ઉપાડી ગયા

- Advertisement -
Share

શિહોરીના મુકેશભાઇ ગોરધનભાઇ (કકાણી) મહેશ્વરી (રહે.શિહોરી) એ તેના દીકરાની પત્નીનું બળજબરી પૂર્વક અપહરણ થયું હોવાથી છ ઈસમો સામે શિહોરી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

શિહોરીના વતની મુકેશભાઇ ગોરધનભાઇ કકાણીનો દીકરો જૈમિન અમદાવાદ ખાતે એમ.એસ.સી. આઈ.ટી.માં અભ્યાસ કરે છે અને તેને આણંદ જીલ્લાનાં બોરસદ તાલુકાના દેદરડા ગામના રવિશંકર હરિરામ મહેશ્વરીની પુત્રી પાયલબેન સાથે આંખ મળી જતા તેઓએ અમદાવાદ ખાતે આવેલ સાયન્સ સીટી પાસે આવેલ ઉમિયા માતાજીના મંદિરે 21 જૂનના રોજ મેરેજ કરી લીધા હતા. આ દરમિયાન થોડા દિવસ પછી મુકેશભાઇ અને પુત્ર જૈમિન બહાર હતા.

[google_ad]

 

ત્યારે જૈમિનના સસરા રવિશંકર અને જીગરભાઇ મહેશ્વરી અને બીજા ચાર ઇસમો બે ગાડી લઇ છ જણ ઘરમાં ઘૂસી પાયલબેનને બળજબરીથી ગાડીમાં નાખી અપહરણ કરી ગયા હતા. ત્યારે મુકેશભાઇની પુત્રી ઉર્વશી વચ્ચે પડતા તેને પણ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાં પડેલ સામાન વેર વિખેર કરીને પાયલબેનને અમારા ઘરના પહેરાવેલ સોના-ચાંદીનાં દાગીના સાથે અપહરણ કરી લઇ ગયા હતા. ત્યારે ઉર્વશીએ ફોન કરી બનાવની હકીકત મુકેશભાઇને જણાવતા તેઓ ઘરે આવી તપાસ કરતા અપહરણકારો જૈમિનની પત્નીનું અપહરણ કરી નાસી છૂટયા હતા. આ બાબતની ફરિયાદ મુકેશભાઈ ગોરધનભાઈ કકાણીએ શિહોરી પોલીસ સ્ટેશને નોંધાવી છે.

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!