પાંથાવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની શુક્રવારે ખેડૂત વિભાગ, વેપાર વિભાગ અને ખરીદ વેચાણ વિભાગના 16 ડીરેક્ટરોને ચૂંટવા માટે મતદાન યોજાયું હતું. જ્યાં મતદારોએ કુલ 39 ઉમેદવારો માટે મતદાન કરી તેમનું ભાવી ઇ.વી.એમ. માં કેદ કર્યું હતું.
[google_ad]
જેમાં શનિવારે પાંથાવાડા માર્કેટયાર્ડ પરિસરમાં મત ગણતરી હાથ ધરતાં 16 બેઠક પૈકી 11માં રેસાભાઇની પેનલ વિજેતા બની હતી અને 5માં સવસીભાઇની પેનલની હાર થઇ હતી. જ્યારે ફાલ્ગુનીબેન અને તેમની પેનલના સુપડા સાફ થઇ ગયા હતા.
[google_ad]
દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની નિયામક મંડળના 16 ડીરેકટરો માટે શુક્રવારે ચૂંટણી માટે ભાજપના જ દિગ્ગજ નેતાઓની અલગ-અલગ પેનલમાં કુલ 39 ઉમેદવાર માટે મતદાન યોજાયું હતું.
[google_ad]
જેમાં પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણી માટે ખેડૂત વિભાગના 10 ડીરેક્ટર માટે કુલ 27 ઉમેદવાર માટે મતદાન થયું હતું. જ્યારે વેપારી વિભાગના કુલ 4 ડીરેક્ટર માટે 8 ઉમેદવાર મેદાનમાં છે તેમજ ખરીદ-વેચાણ વિભાગના 2 ડીરેકટર માટે 4 ઉમેદવાર મેદાનમાં હતા.
[google_ad]
જેમાં શનિવારે પાંથાવાડા માર્કેટયાર્ડ પરિસરમાં મત ગણતરી હાથ ધરતાં 16 બેઠક પૈકી 11માં પાંથાવાડા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન રેસાભાઇ પટેલની પેનલ વિજેતા બની હતી. જ્યારે 5માં પાંથાવાડા માર્કેટયાર્ડના ચેરમેન સવસીભાઇ પટેલની પેનલની હાર થઇ હતી. પાંથાવાડા માર્કેટયાર્ડમાં સત્તા પરિવર્તન થઇ ગઇ હતી.
[google_ad]
From – Banaskantha Update