બનાસકાંઠામાં આપ નેતા ગોપાલ ઇટાલીયા દ્વારા કરાયેલી ટિપ્પણીને લઇ કર્મકાંડ મંચ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લાના કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોપાલ ઇટાલીયા હિન્દુ સનાતન ધર્મ વિશે અભદ્ર ટિપ્પણી કરવા બાબતે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો છે.

[google_ad]

 

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા બ્રાહ્મણોને કથાકારો સાધુ-સંતો અને હિન્દુ સનાતન ધર્મના દેવી-દેવતાઓ અનેક ગ્રંથો વિશે અભદ્ર ભાષામાં અપશબ્દો બોલ્યા તેનાથી સમસ્ત કર્મકાંડી બ્રાહ્મણ કથાકારો અને સાધુસંતો નારાજ થયેલ છે. આપ નેતા ગોપાલ ઇટાલીયા જાહેરમાં સમસ્ત કર્મકાંડી બ્રાહ્મણ કથાકારો હિન્દુ સનાતન ધર્મના સાધુ-સંતો અને બ્રાહ્મણોની માફી માંગેને તેમના બોલેલા શબ્દો પાછા ખેંચે તે માટે કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા કલેકટર ને આવેદન આપ્યું છે.

 

[google_ad]

બનાસકાંઠા જીલ્લા કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ હીરેનભાઈ શાસ્ત્રી જણાવ્યું હતું કે, ગુરુવારે અમે ગુજરાત કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ અને બનાસકાંઠા અંતર્ગત જે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ એવા ગોપાલભાઈ ઇટાલીયા જે થોડા સમય પહેલાં બ્રાહ્મણો વિશે અને બ્રાહ્મણોના ગ્રંથો વિશે જે સત્યનારાયણની કથાઓ છે ભાગવત વિશે અપશબ્દો કહ્યા છે. આજે બધા બ્રાહ્મણ એકઠા થઈ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરીએ છીએ કે, ગોપાલ ઇટાલીયા તમે આવા શબ્દોની માફી માંગો નહિતર અમે બધા બ્રાહ્મણો ભેગા થઈને કાયદેસરની કાર્યવાહી કરાવીશું અને ગુજરાત આખુ ભેગુ મળી હિન્દુ સમુદાયના સંગઠનો ભેગા મળી ગુજરાતની અંદર ધરણાં કરીશું

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!