બનાસકાંઠામાં મેઘરાજાએ મો ફેરવી લેતા ખેડૂતો ચિંતિત : વરસાદ જો વધુ ખેંચાયો તો ભારી નુકસાન થઇ શકે

- Advertisement -
Share

બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચીંતિત થયો છે. વરસાદ ખેંચાતા જિલ્લાના ખેડૂતોએ ભગવાન ભરોસે વાવણી તો કરી હતી પરંતુ વાવેતર બાદ 10 દિવસ સુધી વરસાદ નહીં થાય તો ખેડૂતોને ભારે નુકશાન થવાની ચિંતા સતાવી રહી છે.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

 

સામાન્ય રીતે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આ સમયમાં ખેડૂતો ચોમાસુ ખેતીની તૈયારીઓમાં લાગી જાય છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ચોમાસામાં મગફળી અને દિવેલા, ઘાસચારા સહિત કઠોળ પાકોનું વાવેતર મુખ્યત્વે થાય છે. આ વખતે પણ શરૂઆતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોએ સારા વરસાદ થવાની આશાએ મગફળીનું વાવેતર કરી દીધું છે.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

 

પરંતુ ત્યારબાદ વાવેતર કર્યા પછી 10 દિવસ સુધી વરસાદ ન થતા જગતનો તાત હવે ચિંતિત બન્યો છે. વાવેતર કર્યા પછી અઠવાડિયા, 10 દિવસ સુધી છોડને ફૂલ આવે તે સ્થિતિમાં જો વરસાદ ન થાય. તો ચોક્કસ પાકને મોટું નુકસાન થઈ શકે છે. જેમાં હાલ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં શરૂઆતથી અંદર સારો વરસાદ થતાં ખેડૂતોએ મોટાભાગે મગફળીનું વાવેતર કરી દીધું છે.

 

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

પરંતુ હવે વરસાદ જેવું વાતાવરણ બને છે. પરંતુ મેઘરાજા મહેરબાન થતા નથી. જેથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. ગત વર્ષે પણ બનાસકાંઠામાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેથી ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ ગયા હતા. આ વર્ષે ફરીથી વાવેતર કર્યા બાદ મેઘરાજાએ મો ફેરવી લેતા જગતનો તાત ભગવાન ભરોસે બેઠો છે.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

 

ખેડૂતો જણાવી રહ્યા છે કે, બનાસકાંઠા જિલ્લામાં ત્રણ જીવાદોરી ગણાતા જળાશયો છે. તેમાં પણ પાણી નથી તો સરકાર આ ત્રણ જળાશયોમાં પાણી છોડે અને નદીઓને સંજીવન કરવામાં આવે તો આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી ન સર્જાય અને જો વરસાદ વધુ ખેંચાય તો ખેડૂતો ખેતી નહિ કરી શકે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!