“નર્મદે સર્વદે ગુજરાત કો ગર્વ દે” ના નારા સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હાલમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર ગુજરાતમાં નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે.
ગુજરાતના ખેડૂતોને નર્મદાના પાણી મળતા અનેક ખેડૂતો આત્મનિર્ભર બની ગયા છે અનેક ખેડુતો પ્રગતિશીલ બન્યા છે ગુજરાતના ખૂણે ખૂણે સુધી ગુજરાત સરકાર દ્વારા નર્મદા નીર પહોંચાડવામાં આવ્યા છે.
ત્યારે આજે ડીસા તાલુકાના માલગઢ ગામને મામાનગર તળાવમાં નર્મદાના નીર આવતા માલગઢ ગામના સરપંચ શ્રવણભાઈ પરમાર તેમજ ડેલિકેટ નરેશભાઇ સોલંકી તથા ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા મામાનગર તળાવ પર પહોંચીને નર્મદા મૈયાના વધામણા કરવામાં આવ્યા હતા.
ગામના સરપંચ દ્વારા શ્રીફળ વધેરીને એકબીજાને કંકુ તીલક કરી નર્મદાના નવા નીરના વધામણાં કરી “નર્મદે સર્વદે ગુજરાત કો ગર્વ દે” ના નારા સાથે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
From – Banaskantha Update