વાવના લાલપુરા ગામમાં ગ્રામજનોને પીવાનું પાણી ન મળતાં રોષ ભભૂક્યો

- Advertisement -
Share

વાવ તાલુકાના લાલપુરા ગામમાં ગ્રામજનાને પીવાનું પાણી ન મળતાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેમાં એક-એક કિલોમીટર દૂર સુધી જઇ મહીલાઓને માથા ઉપર બેડા લઇ પાણી ભરવા મજબૂર બન્યા છે. જ્યારે અવાર-નવાર સર્જાતી પાણીની સમસ્યાથી લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. જ્યારે પાણીની અછતને લઇ પશુઓના હવાડા પણ સૂકા ભઠ્ઠ થઇ ગયા છે. પાણીની સમસ્યા અંગે વારંવાર ગ્રામ પંચાયતના સરપંચને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સમસ્યા જૈસે થે પરીસ્થિતિ સર્જાઇ છે.

હાલમાં દિવસેને દિવસે જળ ભૂગર્ભ ઉંડા જઇ રહ્યા છે. ત્યારે નવા બોરવેલ બનાવવાની નોબત પડી છે. બનાસકાંઠા જીલ્લામાં સરહદી વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ પરીસ્થિતિ ઉભી થઇ છે. વાવ તાલુકાના લાલપુરા ગામમાં અવાર-નવાર પાણીની સમસ્યા સર્જાય છે. ત્યારે ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ જ ઉકેલ આવતો નથી.

 

 

 

જ્યારે એક-એક કિલોમીટર દૂર સુધી જઇ મહીલાઓને માથા ઉપર બેડા લઇ પાણી ભરવા મજબૂર બન્યા છે. પાણીની સમસ્યાથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. પાણીની અછતને લઇ પશુઓના હવાડા પણ સૂકા ભઠ્ઠ હાલતમાં જાવા મળી રહ્યા છે. આ અંગે ગ્રામ પંચાયતના સરપંચને પાણીની સમસ્યા અંગે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઇ જ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ત્યારે પાણીની સમસ્યા હલ નહીં થાય ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશું તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.

 

Advt

 

 

આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ‘લાલપુરા ગામમાં પાણીની સમસ્યાનો કોઇ જ ઉકેલ આવતો નથી. મહીલાઓને પાણી માટે વલખા મારવા પડે છે અને દૂરદૂર સુધી બેડા લઇ પાણી માટે ભટકવું પડે છે. પાણીની સમસ્યાથી લોકો ત્રાહીમામ્‌ પોકારી ઉઠ્યા છે. ગ્રામજનોએ ગ્રામ પંચાયતથી લઇ સરપંચ સુધી લેખિત અને મૌખિત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઇ જ પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ગ્રામ પંચાયતના સરપંચ પાણીની સમસ્યા હલ નહીં કરે તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે તેમ આક્રોશ સાથે ગ્રામજનોએ જણાવ્યું છે.’

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!