પાલનપુરમાં પ્રાંત અધિકારીએ આરોગ્ય અને નગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી

- Advertisement -
Share

પાલનપુર પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવાના અધ્યક્ષસ્થાને આરોગ્ય અને નગરપાલિકાના અધિકારીઓ સાથે રોગચાળા અટકાયત માટે બેઠક યોજાઇ

 

પાલનપુર શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પાલનપુર પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવાના અધ્યક્ષસ્થાને આરોગ્ય કચેરી અને નગરપાલિકાના અધિકારીઓ સાથે રોગચાળો અટકાયત માટે બેઠક યોજાઇ હતી. પાલનપુર શહેરમાં ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે તા. 28 અને તા. 29 જૂન-2021 ના દિવસે આરોગ્ય અને નગરપાલિકાની ટીમો સાથે પાલનપુર શહેરમાં કન્ટ્રક્શન સાઈટો, ટાયરની દુકાનો, હોટલો, ભંગારની દુકાનો, ર્ડાકટર હાઉસ તેમજ અન્ય દુકાનો કે જ્યાં મોસ્કીટો બ્રીડીંગ (મચ્છરો પેદા) થવાની શક્યતાઓ રહેલી છે.

 

 

બનાસકાંઠા જીલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસર ર્ડા. એન. કે. ગર્ગે જણાવ્યું હતું કે, તમામ સ્થળોની આ ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે. આ દરમિયાન જરૂર જણાય ત્યાં નોટીસ આપીને કે દંડનાત્મક કાર્યવાહી કરીને લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!