કોરોનાની રસી લેવી ફરજિયાત છે કે નહીં ? અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવાની નોટિસ આપતાં કરી હાઈકોર્ટમાં અરજી

- Advertisement -
Share

ગુજરાત સહિત સમગ્ર દેશમાં જોરશોરથી કોરોના રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે શું કોરોનાની રસી લેવી ફરજીયાત છે કે મરજીયાત તેનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. ભારતીય વાયુસેનાના એક અધિકારીએ હાઇકોર્ટમાં અરજી કરી છે. રસી લેવા માટે દબાણ કરી શકાય નહીં એવી કરી રજુઆત કરવામાં આવી છે.

અધિકારીએ રસી લેવાનો ઇનકાર કરતા વાયુસેનાએ અધિકારીને આપી હતી નોકરીમાંથી બરતરફ કરવા અંગેની કારણદર્શક નોટિસ આપી હતી. અધિકારીએ આ નોટીસને હાઇકોર્ટમાં પડકારી છે. રસીની આડઅસરોના ભયથી પોતે રસી લેવા નહીં માંગતા હોવાની અધિકારીએ હાઇકોર્ટમાં રજુઆત કરી છે.

હાઇકોર્ટે વાયુસેનાના અધિકારીને રાહત આપી છે. અધિકારીની તરફેણમાં વચગાળાનો મનાઇહુકમ કર્યો છે. હાઈકોર્ટે વાયુસેનાને ઇશ્યુ કરી નોટિસ આગામી મુદત સુધી અધિકારી સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા પર કોર્ટે સ્ટે આપ્યો છે.

FROM – BANASKANTHA UPDATE 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!