ડી.જે.ના તાલે જાનૈયાઓ વરઘોડામાં ઝૂમી ઉઠ્યા : સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું પાલન ન કર્યું
હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે સોમવારે પાલનપુર શહેરમાં આવેલી ધનિયાણા ચોકડી નજીક એક લગ્ન પ્રસંગનો ડી.જે.ના તાલે વરઘોડો નીકળ્યો હતો. વરઘોડો જાહેરમાં નીકળતાં જાનૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. પરંતુ સોશિયલ ડીસ્ટન્સ ભૂલાયું હતું. જેમાં વરઘોડામાં ઘોડી ઉપર ચડેલા વરરાજા સહીત તમામ લોકો માસ્ક વગર જાવા મળ્યા હતા.
વરઘોડામાં મોટી સંખ્યામાં જાનૈયાઓ માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ વગર નાચતાં જોવા મળ્યા હતા. જેમાં કોરોનાના નિયમો ભૂલાય તે જણાઇ આવ્યું છે. કોરોનાની ગાઇડલાઇન હોવા છતાં બિન્દાસ પણે ધોળા દિવસે વરઘોડો નીકળ્યો હતો. જાહેરમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ કરતો વરઘોડો નીકળ્યો પરંતુ પાલનપુર પોલીસ અજાણ રહી હતી.
ગુજરાત સરકાર દ્વારા હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાત સરકારે જાહેર કાર્યક્રમો, જાહેર સભાઓ, લગ્ન પ્રસંગોમાં મોટી સંખ્યામાં લોકોને એકત્ર ન કરવા અને વરઘોડા ન નીકાળવા સહીત પર પ્રતિબંધ મૂકાયો છે.
જોકે, લોકો લગ્ન પ્રસંગો કરતાં હોય છે. ત્યારે લગ્ન પ્રસંગોમાં ડી.જે.ના તાલે જાહેરમાં વરઘોડા નીકાળી સોશિયલ ડીસ્ટન્સના નિયમો ભૂલતાં હોય છે. જાહેરનામાનો ભંગ કરતાં હોય છે. ત્યારે સોમવારે પાલનપુર શહેરમાં આવેલી ધનિયાણા ચોકડી નજીક એક લગ્ન પ્રસંગનો ડી.જે.ના તાલે વરઘોડો નીકળ્યો હતો. પરંતુ સોશિયલ ડીસ્ટન્સ કોઈ પાલન થયું ન હતું.
From – Banaskantha update