આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા. મુખ્યમંત્રી નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન બોર્ડર પર નિર્માણ થઈ રહેલા પ્રવાસન વિભાગના કામનું કરશે નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા.17 જૂન- 2021 ના રોજ સવારે – 10 કલાકે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધાર્યા.
મુખ્યમંત્રી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક નડાબેટ ખાતે ચાલતા વિવિધ પ્રવાસન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યું મીટીંગ કરશે. આ પ્રસંગે મત્સ્યોદ્યોગ અને પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ સહિત પ્રવાસન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી વિકાસના કામની સમીક્ષા કરવા આજે સરહદી વિસ્તારની મુલાકાતે આવ્યા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર ગામડાઓનાં સર્વાગી વિકાસ માટે કટીબધ્ધ છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને ડીસા તાલુકામાં રૂ. 2.11 કરોડના રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં વડા (નેશનલ હાઈવે) થી તેરવાડીયા (તાણા) ગામડી રોડ, કંબોઈથી અદાણીપાટી તરફ શિવ મંદિર રોડ, રવિયાણાથી ચેખલા રોડ, રાનેરથી ધારીસણા રોડ, તાંતીયાણાથી હનુમાનપુરા રોડ, ખરડોસણથી ડીસા-પાટણ હાઇવે સુધીનો રોડ અને નવા અંબાજી મંદિરથી વાયા વાઘડીયાપુરાથી ખારેડા-ભાટસણ રોડ મંજુર કરવામાં આવ્યા છે.
From – Banaskantha update