ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ ગોળની દુકાનમાં પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરી

- Advertisement -
Share

છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં સરકારી અનાજનો કાળા બજારી થતી હોવાની લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે સરકારી અનાજની દુકાનોમાંથી ગ્રાહકો દ્વારા અનાજ બારોબાર વેચી મારતાં હોવાની ફરીયાદો ઉઠી રહી છે જેના લીધે અનાજનો વેપાર કરતાં કેટલાંક વેપારીઓ દ્વારા સરકારી અનાજની સસ્તા ભાવે ખરીદી કરીને ગરીબોનું અનાજ વેચાવી રહ્યા છે જ્યારે આજે જિલ્લા પુરવઠા અધિકારીને ખાનગી રાહે બાતમી મળતા આજે જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા વસંતલાલ તારાચંદ નામની ગોળની દુકાનમાં પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરી હતી.

 

 

ગોળની દુકાનમાં સરકારી અનાજનો જથ્થો ઉપલબ્ધ હોવાની બાતમીના આધારે કરાઈ તપાસ હાથ ધરતા ગાંધી ચોક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જોકે પુરવઠા વિભાગ દ્વારા તપાસ દરમિયાન કોઈ વાંધા જનક ચીજવસ્તુઓ મળી ના આવતાં પુરવઠા વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

 

 

ત્યારે ડીસા શહેરમાં ગરીબોના હકનું અનાજ કેટલાંક વેપારીઓ દ્વારા ગ્રાહકોને લાલચ આપી સસ્તા ભાવે અનાજની ખરીદી કરી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવે તો મોટું ગ્રાહકો દ્વારા અપાતું અનાજ કૌભાંડ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!