પાલનપુર તાલુકાના ડાંગીયા ગામ નજીક તળાવમાંથી અજાણ્યા યુવકની લાશ મળતાં ચકચાર મચી ગઇ છે. જેમાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. દાંતીવાડા પોલીસને જાણ કરતાં તેમની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.
જેમાં મૃતકની લાશને તળાવમાંથી બહાર નીકાળી પી.એમ. અર્થે વાઘરોલ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ યુવકના મૃત્યુનું રહસ્ય હજુ અકબંધ. આ અંગે દાંતીવાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના ડાંગીયા ગામ નજીક તળાવમાંથી અજાણ્યા યુવકની લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ અંગે દાંતીવાડા પોલીસને જાણ કરતાં તેમની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.
જેમાં મૃતકની લાશને તળાવમાંથી બહાર નીકાળી પી.એમ. અર્થે વાઘરોલ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ યુવકના મૃત્યુનું રહસ્ય હજુ સુધી અકબંધ છે. ક્યા કારણોસર તળાવમાં આપઘાત કર્યો છે કે, કોઇ કે મારીને ફેંકી દીધો છે તેને લઇને લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે દાંતીવાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update