બનાસકાંઠાના લાખણી તાલુકાના મડાલ ગામમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેમાં 2 વ્યક્તિઓના મૃત્યુ થયાને બે માસ બાદ બીજા વેક્સીનનો ડોઝ સક્સેસફૂલનો મેસેજ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. મૃત્યુ બાદ વેક્સીનના બીજા ડોઝનો મેસેજ મળતાં તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે. જ્યારે ગામના સરપંચ દ્વારા તટસ્થ તપાસની માંગ કરાઇ છે.
હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના મડાલ ગામમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેમાં રાયચંદ કાળાજીની નામે વેક્સીનનો બીજા ડોઝનો સક્સેસફૂલનો મેસેજ આવ્યો હતો અને કાનજીભાઇ રાવતાજી મકવાણાના નામે વેક્સીનનો બીજા ડોઝનો સક્સેસફૂલનો મેસેજ મળ્યો હતો.
જેમાં મૃત્યુ બાદ વેક્સીનના બીજા ડોઝનો મેસેજ મળતા તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે. જ્યારે ગામના સરપંચ દ્વારા તટસ્થ તપાસની માંગ કરાઇ છે. જોકે, આરોગ્ય વિભાગમાં આવી ગંભીર બેદરકારી સામે આવતાં લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે અન્ય વ્યક્તિઓને રસી અપાઇ છે કે, માત્ર આંકડાકીય માહીતી વધારવા અંગે તેની તટસ્થ રીતે તપાસ થાય તો અનેક કારણો બહાર આવી શકે તેમ છે.
From – Banaskantha update