ઈશાન પરમાર, સાબરકાંઠા: આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે સાબરકાંઠા જીલ્લાના એક એવા પર્યાવરણ પ્રેમી વિષે જાણીશુ કે, જેમણે પર્યાવરણની જાળવણી અને જાગૃતિ માટે હજારો પત્રો લખ્યા છે. આ રામભાઈ ચારણે પત્રની મારફતે લોકોને જાગ્રૃત કર્યા હતા તો હવે ઈડર ગઢ પર થતુ ખનન અટકાવવા માટે પણ પત્રો લખીને નવી ઇડરનાં ઇતિહાસને બચાવવાની ઝૂંબેશ ચલાવી રહ્યા છે.
આ છે ઈડર તાલુકાના કુવાવા ગામના રામભાઈ ચારણ જેઓ પ્રક્રુતી પ્રેમી, પર્યાવરણ પ્રેમી છે અને નિવૃત શિક્ષક છે. જઓને રાષ્ટ્રીય કક્ષાએથી એવોર્ડ પણ મળેલ છે. આમ તો શિક્ષક હતા ત્યારથી પત્ર લખવાનો શોખ હતો જેના કારણે તેઓએ પર્યાવરણની જાળવણી માટે 60 હજાર કરતા પણ વધુ પત્રો લખ્યા છે. તો આ ઉપરાંત તેઓએ વૃક્ષારોપણ પણ કરેલ છે. સ્મશાનમાં વડ પણ ઉછેર્યા છે તો અનેક જગ્યાએ વૃક્ષ પણ વાવ્યા છે. જેથી તેમણે તમામ લોકો પર્યાવરણ પ્રેમી તરીકે ઓળખે છે.
આ અંગે રામભાઈ ચારણનાં જણાવ્યાં પ્રમાણે, પર્યાવરણને બચાવવા 60 હજારથી વધારે પત્રો લખ્યા છે. આ ઉપરાંત પીએમ મોદીનાં સ્ન્માનમાં એક વડ ઉગાડો તેવા પણ બે હજાર જેટલા પત્રો લખ્યાં છે. હવે હું ઇડરિયો ગઢ બચાવવા માટે 10 હજારથી વધુ પત્રો લખીશ. ઇડરનો ગઢ રાષ્ટ્રીય ધરોહર છે તેનું ખનન થાય તે કેમ ચાલે? ઇડરનાં પથ્થોરોનું ખનન નથી થતું પરંતુ ઇતિહાસનો અંત થાય છે.
આવી તપોભૂમિનો નાશ આપણને શોભતો નથી. મારી પ્રવૃત્તિ પર્યાવરણને બચાવવાનું છે. આ કામગીરી મને ગમે છે અને મને આનંદ થાય છે. ઇડરનાં ગઢને લીલો કરવા માટે હું અને મારા મિત્રો છેલ્લા14 વર્ષથી કાર્યરત છીએ. ગઢ પર જઇને છાણ -માટીનાં લાડુમાં બીજ નાંખીને ત્યાં મુકીએ છીએ. જેથી વરસાદમાં તે અંકુરિત થાય. આ માટે અમે ધગઘગતા તડકામાં પણ કામ કરીએ છીએ.
રામભાઈને એનેક એવોર્ડ પણ મળેલ છે અને જેના કારણે તેઓએ પત્ર લેખન ચાલુ રાખ્યુ હતુ. તો વડા પ્રધાનના સન્માન માટે 2 હજાર પોસ્ટ કાર્ડ લખ્યાં છે. જેમાં લખ્યું હતું કે, ‘એક વડ વાવો. હવે તેઓ ઈડર ગઢ પર થતા ખનનને બંધ કરવા માટે પત્રો લખવાનુ શરુ કર્યુ છે. કારણ કે, ઈડર ગઢ એક ઐતિહાસિક ધરોહર છે. ગુજરાતની શાન છે અનેક સંતોની ભુમિ છે તો ગઢનુ ખનન બંધ થાય અને ગઢ પર વૃક્ષારોપણ થાય તે માટે 10 હજાર જેટલા પત્રો લખવાનુ શરૂ કર્યુ છે.
દરરોજ પત્ર લખીને દરરોજ પોસ્ટ ઓફિસ ખાતે મોકલી આપે છે. તો સાથે તેમના મોટા ભાઈ પણ મદદ કરે છે. શિક્ષક કભી સાધારણ નહિ હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતા હૈ આ ઉક્તિને સાર્થક કરીને રામભાઈ ચારણે પર્યાવરણની જાળવણી કરી છે અને અનેક લોકોને જાગ્રૃત કરીને પર્યાવરણ બચાવ્યુ છે. તો હવે ઈડર ગઢ બચાવવા માટે તેઓ આગળ આવ્યા છે.
From – Banaskantha update