ધાનેરામાં રીક્ષા ચાલક સહીત ત્રણ શખ્સોએ સી.એન.જી. પંપના કર્મચારી પર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

બનાસકાંઠાના ધાનેરામાં ગુરૂકૃપા સી.એન.જી. પંપ પર અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો. ત્યારે ગુરૂકૃપા સી.એન.જી. પંપ પર વાહનોની લાંબી કતારો સી.એન.જી. ભરાવવા માટે લાગી હતી. તે દરમિયાન એક રીક્ષા ચાલક સીધો જ સી.એન.જી. ભરાવવા પંપ પાસે પહોંચી ગયો હતો. જો કે, કર્મચારીએ તેને લાઇનમાં ઉભા રહેવાનું કહેતાં તે ઉભો ન રહેતાં રીક્ષા ચાલક સહીત ત્રણ શખ્સોએ સી.એન.જી. પંપના કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ ગઇ છે. આ અંગે ધાનેરા પોલીસે ફરિયાદના બદલે માત્ર અરજી સ્વીકારી તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા શહેરમાં પોલીસની ઢીલી નીતિને કારણે અસામાજીક તવો બેફામ બની ગયા છે. જેમાં ગઇકાલે મોડી સાંજે પ કલાકે ગુરૂકૃપા સી.એન.જી. પંપ પર ત્રણ અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના બની હતી. જેમાં ગુરૂકૃપા સી.એન.જી. પંપ પર વાહનોની લાંબી કતારો સી.એન.જી. ભરાવવા માટે લાગી હતી. તે દરમિયાન એક રીક્ષા ચાલક સીધો જ સી.એન.જી. ભરાવવા માટે પંપ પાસે પહોંચી ગયો હતો.

જા કે, કર્મચારીએ તને પણ લાઇનમાં ઉભા રહેવા માટે જણાવતાં બંને વચ્ચે તકરાર થઇ હતી. જેથી ઉશ્કેરાયેલા રીક્ષા ચાલક સહીત ત્રણ શખ્સોએ સી.એન.જી. પંપના કર્મચારી સાથે બોલાચાલી કરી બાદમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને પંપના કર્મચારીને માર માર્યો હતો. તે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે સમગ્ર ઘટના પણ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ ગઇ હતી. બાદમાં આ ત્રણેય શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા.

 

આ બનાવ અંગેની જાણ સી.એન.જી. પંપના માલિકને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા. આ અંગે ધાનેરા પોલીસને જાણ કરી હતી. જા કે, પોલીસે આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં સ્પષ્ટ દેખાતી હોવા છતાં પણ ફરિયાદ દાખલ કરવાના બદલે માત્ર અરજી લઇને કાર્યવાહી શરૂ કરતાં પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થયા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!