ઘટનાસ્થળે અંબાજી પોલીસ દોડી આવી યુવકની લાશને નીચે ઉતારી પી.એમ. માટે હોસ્પિટલમાં ખસેડાઈ : પરિણીત યુવકને એક નાની બાળકી પણ છે.
બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક એક રહેણાંક મકાનમાં પરિણીત યુવકે અગમ્ય કારણોસર ઘરમાં પંખાને દોરડું બાંધી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે યુવકની પત્ની પિયરમાં લગ્ન પ્રસંગમાં ગઈ હતી. આ બનાવના પગલે આજુબાજુમાં રહેતાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
આ ઘટનાની જાણ અંબાજી પોલીસને થતાં તેમની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જયારે યુવકની લાશને નીચે ઉતારી પી.એમ. માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ અંગે અંબાજી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક હોલીડે હોમ રોડ જૈન મંદિરની નજીક એક રહેણાંક મકાનમાં યુવક પરિવાર સાથે રહી ગુજરાન ચલાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક પરિણીત યુવકે અગમ્ય કારણોસર ઘરમાં પંખાને દોરડું બાંધી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ હતી.
ત્યારે યુવકની પત્ની પિયરમાં લગ્ન પ્રસંગમાં ગઈ હતી. જયારે પરિણીત યુવકને એક નાની બાળકી પણ છે. આ બનાવના પગલે આજુબાજુમાં રહેતાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. આ ઘટનાની જાણ અંબાજી પોલીસને થતાં તેમની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જયારે યુવકની લાશને નીચે ઉતારી પી.એમ માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ અંગે અંબાજી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update