ભાભરમાં ઉજ્જનવાડાની સીમમાંથી પસાર થતી કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

- Advertisement -
Share

ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામની સીમમાંથી પસાર થતી કચ્છ – નર્મદા કેનાલમાં અજાણ્યા યુવકની લાશ જોવા મળતા ભાભર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

 

Advt

 

 

ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામની સીમમાંથી પસાર થતી કચ્છ નર્મદા કેનાલમાં ગઈકાલે સવારે રાધનપુર ભાભર હાઇવે રોડ પર આવેલ ગેટ પાસે કોઈ અજાણ્યા યુવકની લાશ તરતી જોવા મળી હોવાનું કેનાલ નજીક રહેતા લોકો દ્વારા જાણવા મળતા ગામ લોકો મોટી સંખ્યામાં કેનાલ પર ઉમટી પડયા હતા.

 

 

 

લોકો દ્વારા ભાભર પોલીસને જાણ કરાતા ભાભર PSI આહીર સહિત પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગામલોકોની મદદથી લાશને બહાર કાઢી પોલીસે લાશને ભાભર સી.એચ.સી ખાતે પી.એમ માટે મોકલી વધુ તપાસ હાથધરી હતી લાશ મોઢાંના ભાગે કોવાઈ જવાના કારણે મૃત યુવકની ઓળખ થઇ નહિ.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!