ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામની સીમમાંથી પસાર થતી કચ્છ – નર્મદા કેનાલમાં અજાણ્યા યુવકની લાશ જોવા મળતા ભાભર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામની સીમમાંથી પસાર થતી કચ્છ નર્મદા કેનાલમાં ગઈકાલે સવારે રાધનપુર ભાભર હાઇવે રોડ પર આવેલ ગેટ પાસે કોઈ અજાણ્યા યુવકની લાશ તરતી જોવા મળી હોવાનું કેનાલ નજીક રહેતા લોકો દ્વારા જાણવા મળતા ગામ લોકો મોટી સંખ્યામાં કેનાલ પર ઉમટી પડયા હતા.
લોકો દ્વારા ભાભર પોલીસને જાણ કરાતા ભાભર PSI આહીર સહિત પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગામલોકોની મદદથી લાશને બહાર કાઢી પોલીસે લાશને ભાભર સી.એચ.સી ખાતે પી.એમ માટે મોકલી વધુ તપાસ હાથધરી હતી લાશ મોઢાંના ભાગે કોવાઈ જવાના કારણે મૃત યુવકની ઓળખ થઇ નહિ.
From – Banaskantha Update