અમીરગઢમાં સોનવાડી પાસે જંગલમાંથી 2 માનવ કંકાલ મળ્યા : 15 દિવસથી પ્રેમી પંખીડા ગુમ હતા

- Advertisement -
Share

ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલ સોનવાડી પાસેના જંગલમાંથી યુવક-યુવતીનો માનવ કંકાલ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે બનાવને પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને માનવ કંકાલને પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

 

અમીરગઢમાં જંગલ વિસ્તાર મોટા પ્રમાણમાં આવેલ છે. જેમાં સોનવાડી પાસે આજે બપોરના સમયે જંગલમાં બે કંકાલ પડ્યા હોવાની બાતમી પોલીસને મળતાં અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને બંને માનવ કંકાલો એકદમ હાડપિંજર જેવા હતા.

 

 

 

 

પોલીસે આ અંગે પ્રાથમિક તપાસ કરતા વીસેક દિવસ પહેલા બે પ્રેમીઓ ઘરેથી ભાગી ગયા હતા. તેની જાણ અમીરગઢ પોલીસ મથકમાં કરવામાં આવેલ હતી. આથી પોલીસને શક જતા ભાગી ગયેલ પ્રેમીઓના પરિવારને જાણ કરી ઘટના સ્થળે બોલાવ્યા હતા. તેમજ બંને કંકાલ પાસેથી મળી આવેલ પર્સ, ફોટાઓ અને કપડાં પરથી તેઓની ઓળખાણ થતાં બંને કંકાલ ભાગી ગયેલ યુવક યુવતીના હોવાનુ જણાયું હતું.

 

 

 

 

 

પોલીસે આ અંગે પ્રાથમિક તપાસ કરતા વીસેક દિવસ પહેલા બે પ્રેમીઓ ઘરેથી ભાગી ગયા હતા. તેની જાણ અમીરગઢ પોલીસ મથકમાં કરવામાં આવેલ હતી. આથી પોલીસને શક જતા ભાગી ગયેલ પ્રેમીઓના પરિવારને જાણ કરી ઘટના સ્થળે બોલાવ્યા હતા. તેમજ બંને કંકાલ પાસેથી મળી આવેલ પર્સ, ફોટાઓ અને કપડાં પરથી તેઓની ઓળખાણ થતાં બંને કંકાલ ભાગી ગયેલ યુવક યુવતીના હોવાનુ જણાયું હતું.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!